Vankar Mahajan Samaj
જય હો વણકર સમાજ
vankar mahajan
vankar
વણકર
vankar cast
વણકર પરિવાર
#વણકર
खादी ना सिर्फ रोजगार मे मदद करता है, बल्कि आर्थिक साधन भी प्रदान करता है |
#વણકર
વણકર સમાજ ના દરેક પરગણા મા એક નિયમ એવો હોવો જોઈએ કે લગ્ન કે સીમંત પ્રસંગ મા થતા કુલ ખર્ચા ના 5-10 % રકમ સમાજના આર્થિક પછાત લોકો ના બાળકોના શિક્ષણ અને વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવે.
વણકર સમાજ ના દરેક પરગણા મા મૃત્યુભોજ ની પરંપરા સંપૂર્ણ બંદ કરવી જોઈએ.
સમાજ ના લોકોએ સ્વૈચ્છિક તેનો બહિષ્કાર કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
Charkha- unwinding the age-old spinning mastery.
#ખાદીઇન્ડિયા
#વણકર
દાહોદ જિલ્લા ના નવા જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરતા સમગ્ર પરગણા વણકર સમાજ દાહોદ જિલ્લાનું ગૌરવ અને સમાજનું યુવા પ્રતિનિધિત્વ ધરાવતા એવા જાહેર આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત દાહોદના ચેરમેન શ્રી અશ્વિનકુમાર મકવાણાજી.🌷
#વણકર
મહેસાણા ખાતે 135 પાટણવાડા વણકર સમાજ નો સન્માન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યુ હતું.
#વણકર
લાઈક કોમેન્ટ માટે નહી પરંતુ અમારા વિચાર વણકર સમાજ ના દરેક લોકો સુધી પહુંચે તેના માટે અમારા પ્રયત્નો હતા. અને જે પ્રકારે સમાજના લોકો નો પ્રેમ મળી રહીયો છે અમારી દરેક પોસ્ટ અમારા જુના પોતાનાજ રેકોર્ડ તોડી ને લોકો સુધી પહુંચી રહી છે. લાસ્ટ પોસ્ટ 1,47,11 લોકો સુધી પહુંચી અને વિડિઓ 1,76,669 વાર જોવામાં આવીયો 63,684 મિનિટ નો વૉચ ટાઈમ છે. અમારા વણકર મહાજન ના દરેક ફેસબુક પેજ ને ખુબજ સારો પ્રતિસાદ મળી રહીયો છે. જેના માટે અમે દરેક વણકર મહાજન નો દિલ થી આભાર માનીયે છીએ.
#વણકર
💫 રોયલ ચરખા 💫
રોયલ તલવાર અને રોયલ વસ્ત્રો તોં તમે ઘણા નિહાળીયા હશે પરંતુ આજે વણકરો ની ઓળખ એવા રોયલ ચરખા ને તમે જોઈ રહિયા છો.
#વણકર
વૈશ્વિક ધરોહર ગણાતા એવા ભારતીય હસ્તકલાના વારસદાર બનવું ઍ અમારું પરમ સદભાગ્ય છે.
#વણકર
સેંકડો વર્ષો નો ભારતીય વણકર નો ગૌરવમય ઇતિહાસ.
કપડાં અને કાપડના ઇતિહાસનો અભ્યાસ માનવ ઇતિહાસ પર કપડાં અને કાપડના વિકાસ, ઉપયોગ અને ઉપલબ્ધતાને દર્શાવે છે. કપડાં અને કાપડ જુદા જુદા સમયે વિવિધ સંસ્કૃતિઓમાં ઉપલબ્ધ સામગ્રી અને તકનીકીઓને પ્રતિબિંબિત કરે છે.
સમાજમાં કપડાં અને કાપડની વિવિધતા અને વિતરણ સામાજિક રિવાજો અને સંસ્કૃતિને ઉજાગર કરે છે.
કપડાં પહેરવું એ ફક્ત એક માનવ લાક્ષણિકતા છે અને મોટાભાગના માનવ સમાજોનું લક્ષણ છે. છેલ્લા હિમયુગ પછી પુરુષો અને સ્ત્રીઓએ કપડાં પહેરવાનું શરૂ કર્યું.
વણકર દ્વારા વણાટ પદ્ધતિઓ નો ઉપયોગ કરી કાપડ બનાવવામાં આવ્યુ હતું. પ્રાચીન કાળથી આજ સુધી, કાપડ ઉત્પાદનની પદ્ધતિઓ સતત વિકસતી રહી છે,
માનવ સમાજ દ્વારા કાપડ નો ઉપયોગ પોતાને કપડાં પહેરવા અને આસપાસના વિસ્તારને શણગારવા માટે કરવામાં આવે છે.
#વણકર
વણકરોનું વણાટકામ અને તે થકી આર્થિક સમૃદ્ધિની એક ઝાંખી....
વણકર સમાજ વર્ષો પહેલાં અને અત્યારે પણ આર્થિક રીતે સધ્ધર અને પગભર રહ્યો છે. તેના કારણમાં વણકરનો વણવાનો વ્યવસાય છે.તેમનો વણાટ કરવાનો મહેનતી કસબ છે. વણવાનો વ્યવસાય ખૂબજ ઝીણવટભરી મહેનત માંગી લે છે.તેમાં ધીરજ પણ એટલી જ જરૂરી હોય છે.અને તેમાં શરૂઆત થી માંડી હાથશાળ સુધી ની પ્રક્રિયામાં ચારથી પાંચ વ્યક્તિઓની મદદથી જરૂર પડતી હોય છે.
જ્યારથી સભ્ય સંસ્કૃતિનો ઉદભવ થયો અને બાહ્ય પ્રકૃતિ ટાઢ,તડકાથી શરીરને રક્ષણ આપવાની તથા એબ ઢાંકવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારથી માણસ જાત તે દિશામાં પ્રયત્નો કરતી થઈ.હજારો વર્ષો પહેલાં માનવી વનસ્પતિના રેશા,ઝાડની છાલ તથા પાંદડાથી પોતાનું શરીર ઢાંકતો અને તેમાં સમયે સમયે સુધારાઓ થતાં આજના આધુનિક યંત્રોના મદદથી કાપડ તૈયાર થયું.તે આપણે જાણીએ જ છીએ.
મહાભારત અને રામાયણના સમયમાં પણ અને રાજા રજવાડઓના જે જે વસ્ત્રપરિધાન જોવા મળે છે તે એ સમયના વણકરોનો કાપડ બનાવવાના કસબને ઉજાગર કરે છે.તે સમયે પણ બારીક મલમલ જેવાં કિંમતી કાપડ થી માંડીને અલગ અલગ પ્રકારનાં રેશમી કાપડ પણ વણકરો તૈયાર કરતા હતા.તેઓ સામાન્ય કાપડ થી માંડીને કિમતી કાપડ તૈયાર કરતા. અને સમયની માંગ પ્રમાણે સમયે સમયે જેવી જરૂરિયાત રહેતી તે પ્રમાણે પોતાના વ્યવસાયમાં ફેરફાર કરી તેવાં કાપડ તૈયાર કરતા.આ પ્રકારે કાપડ બનાવવાનો વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાં વણકરોનો કાપડ વણવાનો વ્યવસાય પુરજોશમાં ચાલતો હતો. ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં વણકરો જ પોતાના ઘર પર વણવા માટેના સાધનો જેવાં કે ચરખો(રેંટિયો),નાના મોટા ફાળકા,ત્રાક,બોબીલ જે તાર બનાવવાથી માંડીને તારની ગોઠવણી કરવા વપરાતા નાના મોટા ઘણા બધા સાધનો દ્વારા તાણાવાણા તૈયાર કરી છેવટે જેના પર કાપડ તૈયાર થયું હતું તે હાથશાળ નો ઉપયોગ કરી ખાદી(હાથથી કાંતીને વણીને તૈયાર કરવામાં આવતું એક પ્રકારનું સુતરાઉ કાપડ જે ભારતની આબોહવા પ્રમાણે લોકોને તેમાંથી બનતાં પહેરવાનાં કપડાં વધારે અનુકૂળ હતાં) વણતા.એટલે વણકરોનો વ્યવસાય પૂરજોશમાં ચાલતો જે તેમની આવકનો મુખ્ય સ્રોત હતો.પણ ભારતમાં અંગ્રેજોએ કાપડ બનાવવાની મોટી મોટી મિલોની સ્થાપના કરતાં વણકરોના વ્યવસાયમાં ધીમે ધીમે મંદી આવી ગઈ.અને હાથવણાટકામ ધીરે ધીરે મૃતપાય અવસ્થામાં ચાલ્યું ગયું. તેમ છતાં મીલમાં બનતું કાપડ અને હાથશાળમાં બનતા કાપડ વચ્ચે તફાવત હોવા છતાં થોડાઘણા અંશે લોકો હાથ બનાવટનું સુતરાઉ કાપડ(ખાદી) પણ પસંદ કરતાં.પરંતુ ધીમે ધીમે મીલોના કાપડની ઝડપી ઉત્પાદન શક્તિ અને એક સાથે વિપુલ પ્રમાણમાં કાપડ તૈયાર થતું હોવાથી હાથવણાટનું કાપડ સ્પર્ધામાં લાંબો સમય ટક્કર ન લઈ શકવાના કારણે ધીમે ધીમે વણકરોનો વ્યવસાય ભાંગી પડ્યો.તેમ છતાં મીલોમાં પણ કાપડ તૈયાર કરવાની મશીનરીઓ ચલાવવા કારીગર વર્ગમાં પ્રથમ પસંદગી તો વણકરને કારીગર તરીકે પસંદ કરવામાં આવતા તે રીતે પણ આર્થિક સમસ્યાનો વિકલ્પ થોડા અંશે વણકરો માટે ખુલ્લો હતો.પરંતું મીલોની સ્થાપના થતાં જ મોટાભાગના વણકરો એજ્યુકેશન પ્રાપ્ત કરવા તરફ વળ્યા.જોકે અંગ્રેજોના સમય પહેલાં પણ ગુજરાતમાં વણકરોએ સયાજીરાવ ગાયકવાડના સમયમાં એજ્યુકેશન મેળવવાની તક જતી નહોતી કરી. તે વખતે પણ વણકર જાતિના મોટાભાગના લોકોએ સારા પ્રમાણમાં શિક્ષણ મેળવતા હતા. ભારત આઝાદ થયું તે પછી પણ લગભગ ૩૦ થી ૩૫ વર્ષો સુધી વણકરોનો વ્યવસાય ચાલુ રહ્યો હતો.અને આજે એટલે કે ઈ.સ ૨૦૧૯ માં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કે ગુજરાતમાં ઘણી જગ્યાએ વણકરો ક્યાંક ક્યાંક કાપડ વણતા કદાચ મળી આવે.અને ભારતની આઝાદી પછી પણ ગાંધીજીએ સ્વરોજગારી માટે સ્વદેશી એવાં ખાદી પર ભાર મૂકી ચરખા પર સુતર કાંતી સુતરાઉ તાર તૈયાર કરવા સમગ્ર દેશની જનતાને આહવાન પણ કર્યું હતું. અને ખાદીના ઉત્પાદન પર વધારે ભાર આપ્યો હતો.તેઓએ પણ સ્વયં સૂતર કાંતવા એક ચરખો મંગાવી સુતર બનાવવાની પ્રક્રિયા એક વણકર પાસેથી શીખી લોકોને તેમ કરવા અનુરોધ કરતા. આજે પણ સાબરમતી આશ્રમમાં તે ચરખો ગાંધીજીના જીવનને અને વણકરોના ઈતિહાસને ઉજાગર કરતો પ્રતિક રૂપે જોવા મળે છે.આશ્રમની મુલાકાતે આવતી નાની મોટી હસ્તીઓ આજે તે ચરખા પર રૂ માંથી તાર કાઢી લોકોને ખાદીનું મહત્વ કેટલું છે તે ઉજાગર કરવા પ્રેરણાત્મક પ્રયત્ન કરે છે.
માટે વણકર જ્ઞાતિ વર્ષોથી મહેનતી,કુશળ અને ભણેલી ગણેલી હતી.અને વણકરો આ રીતે કોઈના પર નિર્ભર નહીં પણ સ્વતંત્ર સ્વનિર્ભર હતા.વણકરોએ ક્યારેય આર્થિક ગુલામી કે સંકડામણ ભોગવી નથી.તેથી આજે પણ સ્વમાની વણકરો ભારતમાં નાના મોટા ગવર્મેન્ટ ખાતાઓમાં અને વિવિધ જગ્યાઓ પર ક્લાસ વન અધિકારીથી માંડીને ક્લાસ ફોર માં નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાનું કર્તવ્ય અદા કરી દેશની સેવા કરવા પોતાની ફરજ નિભાવે છે.
સૌજન્ય : શ્રી Pravinchandra Solanki ની વોલ પરથી.
#વણકર
हम बनाते थे कपड़ा
तभी तुम दीखते थे चंगा
नहीं तो गुमते होते नंगा
🙏
મધ્ય પ્રદેશ નુ ખોવાયેલું સૂર્યા મંદિર 1500 વર્ષ પેહલા રેશમ - વણકરોએ બાંધ્યું હતું.
સંવત (437 CE) માં દશપુર (ज़िला मंदसौर, पश्चिमी मालवा, मध्य प्रदेश) ખાતે રેશમ-વણકરોના મંડળ દ્વારા સૂર્યને સમર્પિત મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
#વણકર
.com
વિરમાયા મહોત્સવ સમિતિ - ચાંદખેડા, અમદાવાદ
જાહેર આમંત્રણ
વણકર સશક્તિકારણ માટે ભારત સરકાર તત્ત્પર
#વણકર
ખાલી વણાટ કરી જાણે એ નહી પરંતુ જરૂર પડે ત્યારે તલવાર ના ઝટકા થી હાથી ને પણ કાપી નાંખે એ વણકર.
1.88 લાખ ની એક સાડી એવા સાડીયો ના બિઝનેસ કરતી એક મહિલા જયારે shark tank india મા આવી ત્યારે shark tank india ના એક જજ યે કહ્યું કે તેમના પિતાજી ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા હતા અને તેઓ તેમની સાથે વણાટ કાર્ય જોતા હતા.
વણકર નો વણાટ નો બિઝનેસ કેટલો મોટો અને વિશાળ છે જે ખુદ વણકરો પણ નથી જણતા. દરેક વણકરે પોતાના ખાનદાની વણાટ ઉદ્યોગ ઉપર ગર્વ કરવો જોઈએ.
#વણકર
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
ELITE MAGNUM, OPP. SOLARIS SCHOOL, NR. BHUYANGDEV CHAR RASTA, GHATLODIYA
Ahmedabad, 380061
PRIVATE CABIN & OPEN DESK
Ahmedabad, 380002
this page contains information regarding events organised by ladies ving and thasra dashanagar cheritable trust
Ahmedabad, 380002
Konnect Cosmos The Celeste is an individual Circle of Konnect Cosmos with a group of Women entrepreneurs supporting each other. Join us to grow your network
A-306, Stellar Complex, Sindhu Bhavan Marg
Ahmedabad, 380054
An open and inclusive space for all the creators out there.
Daimond Hotel Usha Talkies Road Gomtipur Ahmedabad
Ahmedabad, 380022
Lahnga, Chunri, Sherwani, Coat Paint,
A 903 SARJAN TOWERS GURUKUL
Ahmedabad, 380052
Together we can or TWC is an initiative to form a select group of people going thru Depression.
Ahmedabad, 382350
Memes | Comedy | Media�� Funny memes 24x7�� Memes Jo Deewana Bana De�� Daily Unique posts and Stories
Ahmedabad, 382480
Ambedkar wanted the people to cultivate the values of freedom and equality among themselves; it is possible only through education.
Ahmedabad, 380005
Join our campaign to save Ariha and bring back to India with her parents