LNDYM Bhavnagar
satsang activities
વડોદરામાં શિવજી કી સવારીની મહા આરતી ઉતારીને શુભ શરૂઆત કરાવતા વડતાલ દેશના ભાવી આચાર્ય શ્રી નૂગેન્દ્રપ્રસાદજી મહારાજ
शिव सत्य हैं, शिव अनादि हैं, शिव अनंत हैं, शिव ब्रह्म हैं, शिव शाश्वत हैं...
શિવરાત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની વિશેષ આજ્ઞા
_________________________
👉 શિવરાત્રી ઉત્સવ :- હે પુત્રો ! માઘમાસના વદ પક્ષની શિવચતુર્દશી મધ્યરાત્રીએ જે વ્યાપ્તિ હોય તે વ્રત ઉત્સવ માટે ગ્રહણ કરવી. તેમાં પણ તેરસ અને ચૌદશ બન્ને તિથિમાં મધ્યરાત્રીએ શિવતિથિ વ્યાપે કે ન વ્યાપે એક દિવસે વ્યાપે કે બન્ને દિવસે વ્યાપે છતાં શિવરાત્રી ઉત્સવ માટે બીજી ચૌદશ ગ્રહણ કરવી, એમ સમયમયુખમાં કહેલું છે.૩૨
👉 આ શિવરાત્રીના ઉત્સવમાં શ્રીવાસુદેવ ભગવાનને અને લક્ષ્મીજીને ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરાવવાં અને સુવર્ણનાં આભૂષણો ધારણ કરાવવાં.૩૩
👉 મધ્યારાત્રીએ રૂદ્રસૂક્તથી શિવજીનો વિધિપૂર્વક મહાભિષેક કરવો. અને શ્રીફળ તથા બિલ્વપત્રોથી ગણોએ સહિત શંકરનું પ્રેમથી પૂજન કરવું.૩૪
👉 ને મલ્લિકા, કુંદ, કણેર, ધતૂરો આદિ પુષ્પો અર્પણ કરવાં. ત્યારપછી નૈવેદ્યમાં ખીરવડાં ધરાવવાં અને તે દિવસે પૂજારીએ ઉપવાસ કરવો.૩૫
👉 તે દિવસે નારાયણ અને શિવજીના એકાત્મભાવને જણાવતાં પદોનું ગાન કરાવવું. આ ઉત્સવમાં આટલો વિધિ વિશેષ છે. બાકી પૂર્વવત્ જાણવો.૩૬ (સત્સંગિજીવન ચોથુ પ્રકરણ અધ્યાય ૫૯)
લોખંડબજાર સ્વામિનારાયણ મંદિર, ભવાનગર માં બ્રહ્મચારી સ્વામીશ્રીઓની પ્રેરણા અને શુભ સંકલ્પથી પ.પૂ.૧૦૦૮ આચાર્યશ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વારા જેમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે એવા મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ નો ૫૧ મો વાર્ષિક પાટોત્સવ યોજાયો.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ...
ભગવાન શ્રી સ્વામિનારાયણ નું વસિયતનામું...
શ્રી સ્વામિનારાયણ મંદિર પાળજ,
૧૧ માં વાર્ષીક પાટોત્સવ પ્રસંગે પૂજ્ય નાના લાલજી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા એવમ પેટલાદ વિધાનસભા MLA કમલેશભાઈ પટેલ હજાર રહ્યા હતા.
પ.પૂ.૧૦૮ લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના દિવ્ય આશિર્વાદ સર્વે વ્હાલા હરિભક્તો તમે આ આશિર્વાદ પોતાના હૃદયમાં જીવનમાં ઉતારી શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત થવા વિનંતી અને અંતે પોતાનો મોક્ષ સુધારી લેવા ખૂબ ખૂબ ભલામણ સત્ય સિધ્ધાંત મૂળભૂત સંપ્રદાય પ્રમાણે
*દેવળીયા.કણકોટ (સાવરકુંડલા) મુર્તિ પ્રતિષ્ઠા શોભાયાત્રા*
નુતન સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઠાકોરજીની નગર યાત્રા અને પ.પુ.ભાવિ આચાર્ય 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી
જેમાં ગઢપુર મંદિરના શા.કો.સ્વા. ઘનશ્યામવલ્લભદાસજી, ચેરમેન શ્રી રમેશભગત, ગવૈયા સ્વામી બાળકૃષ્ણદાસજી, કે.પી.સ્વામી ,પા.સંજયભગત, પા.ભાનુભગત, દેવળીયા ના બ્રહ્મચારી ચંન્દ્રપ્રકાશ આદિ સંતો મહંતો અને અમરેલી ના ધારાસભ્ય અને દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
બિમાર ની ખબર લેતા.. તેના હાલચાલ પૂછતા..
પૂ.નાના લાલજી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ
#ભગવાન_શ્રી_સ્વામિનારાયણ_નીલકંઠવર્ણી_વેષે_દિહોર_પધાર્યા_તે_ભાવસાર_મુળજી_ભક્તનું_આખ્યાન.
(હરિલીલામૃતમ્ ગ્રંથ કળશ-૩ વિશ્રામ-૨૧)
🚩 જય શ્રી સ્વામિનારાયણ 🚩
મધુસુદન ડેરીના ચેરમેન તથા બોટાદ જિલ્લા ઉપપ્રમુખ શ્રીભોળાભાઈ રબારીના સુપુત્રના મેરેજ પ્રસંગે આશીર્વાદ આપતા સંતો.....
આજ રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ સુરત અને નવસારી દ્રારા પવિત્ર માઘ સ્નના નિમિતે દાંડી બીસ મુકામે સમુદ્ર સ્નના નું આયોજન કરવામાં આવ્યું તેમજ પૂ.કૈવલ્યસ્વરુપદાસજી સ્વામીશ્રી એ દિવ્ય સત્સંગ નો લાભ આપીયો અને બહોળા પ્રમાણમા હરિભક્તો એ સમુદ્ર સ્નનો પવિત્ર લાભ લીધો.
પાટોત્સવ
સ્થળ : વાંસ ખિલિયા, આણંદ
તારીખ : 28/01/2023, શનિવાર
પાટોત્સવ - વાંસ ખિલિયા, આણંદ
સ્થળ : વાંસ ખિલિયા, આણંદ
તારીખ : 28/01/2023, શનિવાર
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શોભા યાત્રા & સત્સંગ સભા
સ્થળ : જાસ્કા, ધંધુકા:
તારીખ : 27/01/2023, શુક્રવાર
ભગવાન સ્વામિનારાયણના નવમા વંશજ, ધર્મકુળ ભૂષણ, ૨૧મી સદીના યુગપુરુષ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય ૧૦૮ લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
આવતીકાલે શ્રી હરિ લોયા પધાર્યા તે સમયે ત્યાંની વાડિયોમાં રીંગણાંનો સારો પાક હતો અને એટલે શ્રીજીમહારાજે સ્વયં શાક બનાવી સંતો-ભક્તોને જમાડવાનો સંકલ્પ કર્યો….60 મણ રીંગણ, 12 મણ ઘીમાં વઘાર કરી શાક શ્રીજીમહારાજ બનાવે અને સંતોએ રોટલા બનાવ્યા અને સંતોભક્તો જમવા બેઠા ત્યારે જેને જે ભોજન પદાર્થ ભાવતું હોય તેવો સ્વાદ તેને શાકમાં આવે. આવો આજના દિવસે આ દિવ્ય શાકોત્સવની લીલા સંભારી પાવન થઈએ.
શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના લાડકા પૌત્ર અને ધર્મકુળનું વ્હાલ એવા પ.પૂ. દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજને સમગ્ર સત્સંગ સમાજ તરફથી જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છા...
અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી, ધર્મકુલ શિરોમણિ, ધર્મભાસ્કર, ધર્મમાર્તંડ, ધર્મરક્ષક વડતાલ ગાદીને શોભાવતા વિદ્યમાન આચાર્યશ્રી પ.પૂ.ધ.ધું. ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીનાં જ્યેષ્ઠ પુત્ર ભાવિ આચાર્યશ્રી ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી નાં #પનોતાં_પુત્ર_બાળલાલજી_શ્રી_યજ્ઞેન્દ્રપ્રસાદજી_મહારાજશ્રી નાં શુભ #જન્મ_દિવસ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન, જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સાથે સમસ્ત ધર્મકુલ પરિવાર નાં ચરણોમાં કોટી કોટી વંદન,દંડવત પ્રણામ સહ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.
LNDYAM BHAVNAGAR આયોજિત એકાદશી સત્સંગ સભા તા.૨૩/૦૮/૨૦૨૨
યોગેશ્વરસ્વામી - સરધાર ની શાસ્ત્રાર્થ વાત.👇🏻👇🏿
યોગેશ્વરસ્વામી આ શાસ્ત્રાર્થ વાત ને પોતાના જીવનમાં ભલે ન ઉતારે પરંતુ આપણા કલ્યાણ અને મોક્ષ માટે આ વાત ખૂબ અગત્યની છે.
।। शुभजन्मदिनम् तुभ्यम् ।।
સનાતન, મહાસમર્થ,મહાપ્રતાપી,પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી *અજેન્દ્ર પ્રસાદજી મહારાજ* નાં *૭૩* માં *જન્મોત્સવે* કોટી કોટી વંદન હો, વંદન હો,🙏🙏🙏🙏કોટી કોટી વધાઈ હો,વધાઈ હો🌹🌹💐💐🌷🌷
હે બાપજી.......!!!
હે ગુરુદેવ........!!!
હે ગુરુમહારાજ....!!!
હે સાક્ષાત્ સ્વરૂપ ....!!!
*કોઈ આપની પાસે શીખે*
ખોટમાં ખુમારી રાખવી કેમ ?
વિપત્તિ માં વીરતા રાખવી કેમ ?
સંપત્તિ માં સમજણ રાખવી કેમ ?
ધમકી માં ધીરજ રાખવી કેમ ?
વિરોધમાં વિવેક રાખવો કેમ ?
આડંબરને અવાજ આપવો કેમ ?
ધુતારા ને ધર્મ ધરાવવો કેમ ?
સળગતાને ને શાંત કરવો કેમ ?
સત્ય સંપ્રદાયને શુદ્ધ કરવો કેમ ?
સંપ્રદાયનો સિદ્ધાંત સખત કરવો કેમ ?
નિષ્ફળતા માં નિષ્ઠા રાખવી કેમ ?
ઉદાસીમાં ઉત્સાહ રાખવો કેમ ?
પાપીઓને પાઠ ભણાવવો કેમ ?
ઉપદ્રવીઓને ઓળંગવા કેમ ?
નમાલા સામે નમ્રતા રાખવી કેમ ?
વિશ્વાસઘાતીથી વેગળું રહેવું કેમ ?
પાટલીબદલુને પારખવા કેમ ?
પોતાના નો પ્રેમ પામવો કેમ ?
પોતાના ને પ્રેમ આપવો કેમ ?
આપની હેમ,નેમને કોઈ પહોંચે કેમ ?
દાસ ""દલપત "" તો દાખે એમ !!!
------------------------------------
LNDYM ભાવનગર દ્વારા પ્રસ્તુત તા -૧૮-૮-૨૦૨૨ ગુરૂવાર
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ ગાદી પીઠાધીશ્વર પ.પુ. સનાતન ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી નો ાં_જન્મોત્સવ 🎂
જેના ગુણ નો નહી પાર ,ભગવાન શ્રીહરિ સ્થાપિત દક્ષિણદેશ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી ને શોભાવતા એવા ગુરુ તેમજ આજે જેમનો *પવિત્ર શ્રાવણ વદ ૭(શીતળા સાતમ)* ના રોજ પ્રાગટય દિવસ છે
એવા મહાપ્રતાપી અને નમ્રતા, નિરાડંબરતા, વિનય-વિવેક, નિ:સ્પૃહીપણું, જ્ઞાનપિપાસા અને ધર્મનિષ્ઠતાથી સભર ધર્મધુરંધર, સનાતન ધર્મમાર્તંડ, સદ્ધર્મ પ્રવર્તક, સદ્ધર્મનિષ્ઠ, ધર્મ પ્રપોષક, આચાર્ય ચૂડામણી, આચાર્યપ્રવર, સત્સંગ શિરોમણી, સત્સંગ ભૂષણ, ધર્માબ્જ ભાસ્કર, શ્રીહરિના અપરસ્વરૂપ સમા પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
ધર્મના ઉત્થાનમાં સદાકાળ પ્રવૃત્ત રહે તેવી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રાર્થના સહ, તેઓશ્રીના શ્રીચરણોમાં કોટિ કોટિ વંદન સહ.
✍ જય શ્રી સ્વામિનારાયણ✍.
શ્રાવણ માસમાં બ્રહ્મચારી શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશાનંદજી ગુરુ ના મુખે શ્રીમદ્ ભાગવત કથા (દ પરીક્ષિત રાજા ને શ્રાપ મળ્યો... # bhuj
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Shree Swaminarayan Mandir, (Under Swaminarayan Vadtal Gadi/SVG)
Bhavnagar
Bhavnagar
I AM A VERY AMBITIOUS PERSON. I WANT TO SERVE THROUGH EDUCATION , AS THIS IS MEDIUM THROUGH WHICH WE
Bhavnagar, 364150
ગુજરાત ભાવનગર થિ સાઇકલ દ્વારા 12 જ્યોતિર્લિંગ ચારધામ યાત્રા વિધાઉટ મની કરુ છૂ તો સપોર્ટ કરવા વિનંતી
128, 3, Kumbharwad 3rd Lane, Drive M G Mahimtura Road
Bhavnagar, 400004
The news you need to hear
Bhavnagar
Welcome to our Medical Abbreviation Hub on Facebook! 🌐💉 Discover the world of healthcare acronyms