Vinayak Health Care
Health Wellness & Physiotherapy.
Mobilization
Sciatica
#દાતણ
મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે.
કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડે
આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે
📌 આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે , વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.
📌 લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ , આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ , આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે.
📌 લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું
📌 વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.
📌 ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે ,
📌 બાવળ નું દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
📌 આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય , તેનું દાતણ નિરાપદ છે.
📌 ગુલર , ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે.આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાવ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.
📌 કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી
યાદ રાખો
✏️ આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું.
✏️ આ દાતણ 8 આંગલ લાબું ને એક આંગલ જડુ લેવું અને રસદાર હોઈ એ લેવું.
✏️ ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું.
✏️ દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .
આ દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે.
🍀 અતિ ઉપિયોગી,તંદુરસ્તી માટે ઉત્તમ, સરગવાના પાન નો ઊપિયોગ આપણે રોજિંદી રસોઈ માં કરીએ તો એનો મહત્તમ લાભ મેળવી શકાય છે.આપ સહુ ને આ માહિતી ઉપીયોગી થાય એ આશય થી અહીંયા શેયર કરું છું
🍀સરગવાના નાં પાન નો ઉપયોગ..
સરગવા નાં પાન ધોઈને ઘરમાં સુકવીયા(તડકા માં ન સૂકવવા)પછી બરાબર સુકાય જાય એટલે મિક્સરમાં એનો પાવડર કરી નાખવો .આ પાવડર આપણે દાળ, શાક,(બની ગયા પછી 1 ચમચી જેટલોઉમેરવો) થેપલા,પરાઠા મા અને ભજીયા,ગોટા કરીયે એમાં મિક્સ કરીને ખાવાથી ઘર નાં બધા સભ્યો ની તંદુરસ્તી જળવાઈ રહે છે અને સ્વાદ માં પણ કઈ ફરક પડતો નથી. સરગવા ની સિંગો નો તો આપણે શાક બનાવવા માં અને અન્ય રીતે ઉપિયોગ કરીએ જ છીએ..
પણ એના પાન પણ ખુબ જ ઉપિયોગી છે.
🍀 સરગવાના પાનમાં રહેલ ગુણો..
નિયમિત સરગવાના પાનના ચૂર્ણ નું સેવન કરવાથી થતાં ફાયદા..
- સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.
- ડાયાબિટીસમાં સુગર નિયંત્રિત કરે છે.
- બ્લડ પ્રેશર તથા કોલેસ્ટેરોલ નિયંત્રિત કરે છે.
- પાચનક્રિયા સુધારી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવા પેટનાં રોગોમાં રાહત મળે છે.
- આંખ અને કાનનાં ઈન્ફેક્શનમાં ફાયદો થાય છે.
- માથાનો દુઃખાવો અને અનિંદ્રામાં ફાયદો થાય છે.
- રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- કેન્સર થવાનાં જોખમને અટકાવે છે.
- વધતી ઉંમરનાં લક્ષણોને છુપાવે છે.
સરગવા નાં પાન ઉપરાંત ફૂલ, સિંગ, છાલ, બધા નો ઉપિયોગ દવા માં થાય છે.આ સરગવો લગભગ ૩૦૦ જેટલી બીમારી ઓ દૂર કરે છે.
આ ખુબજ ગુણકારી સરાગવા નો ઊપોયોગ આપણે કરીએ તો ધણા રોગો થી બચી શકાય છે. મારી આ માહિતી તમને બધાને ઉપીયોગિ થશે એવી આશા રાખું છું.
SLR Test
osteoporosis Bone
બીજા વર્ષમાં મંગલ પ્રવેશ.
આપનાં આશીર્વાદ પ્રેમ અને સહકારથી વિનાયક હેલ્થ કેર & ફીજીયોથેરાપી માધાપર બીજા વર્ષમાં સફળતાપૂર્વક પ્રવેશ કરી રહ્યું હોઈ આભાર વ્યક્ત કરીએ છીએ..
🪵જેઠીમધ :
આયુર્વેદમાં જેઠીમધને ખૂબ ગુણકારી કહેવામાં આવ્યું છું. જેઠીમધના મૂળીયા ઉખાડી નાખ્યા બાદ પણ 2 વર્ષ સુધી તેમાં ઔષધીય ગુણો રહે છે. આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ બહુ પહેલાથી થતો આવ્યો છે. જેઠી મધ પેટના રોગ, શ્વાસ સંબંધી રોગ, સ્તન સંબંધી રોગને દૂર કરે છે.
🪵જેઠીમધ સ્વાદમાં ગળ્યું હોય છે. તે કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે. એનો ઉપયોગ નેત્ર રોગ, મુખના રોગો, ગળાના રોગો, ઉદરના રોગો, શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થતો આવ્યો છે. તે કફ, વાયુ અને પિત્ત એમ ત્રણેય દોષોને શાંત કરીને બીમારીનો ઇલાજ કરે છે. તો ચાલો હવે આપણે જાણીએ જેઠીમધના ફાયદાઓ વિશે.
🌿શક્તિ સ્ત્રોત :
જેઠીમધનો પાઉડર દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. વારંવાર થાક લાગવો કે શરીરમાં નબળાઈની વારંવાર ફરિયાદ રહેતી હોય તેમણે નરણાં કોઠે જેઠીમધના પાઉડરને મધ સાથે કે ગરમ દૂધમાં -પાણીમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
🌿કોલેસ્ટ્રોલ :
જેઠીમધનો ઉપયોગ કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેનું મુખ્ય કારણ એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે શરીરની નસોને નુકસાન થતું અટકાવે છે.
🌿કાળા વાળ :
જેઠીમધ તથા આમળાનું ચૂર્ણ લેવાથી વાળ સફેદ થતાં અટકે છે. વાળ લાંબા, કાળા તથા મજબૂત બને છે.
🌿ત્વચા :
જેઠીમધને ઘસીને કે તેના પાઉડરનો ઉપયોગ ચહેરા ઉપર કરવાથી ત્વચા નિખરે છે. લોહીને શુદ્ધ કરવામાં જેઠીમધ ગુણકારી છે.
🌿આંખોની બળતરા :
આંખોમાં બળતરા અથવા આંખો સાથે જોડાયેલા રોગો થાય ત્યારે જેઠીમધનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. એટલા માટે જેઠીમધના ઉકાળાથી આંખો ધોવાથી બળતરા મટે છે અને આંખોનો રોગ મટે છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધ પાવડર માત્રામાં વરીયાળીનું ચૂર્ણ ભેળવીને તે ચૂર્ણનું સેવન કરવાથી આંખોની બળતરા ઓછી થાય છે અને આંખોની રોશની વધે છે.
🌿કમળો, ફેટા લિવર :
જેઠીમધ કમળો, હેપેટાઇટિસ અને ફેટી લિવર જેવા રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે. તેનામાં રહેલા કુદરતી એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ ઝેરી પદાર્થોથી લિવરનું રક્ષણ કરે છે. તેમજ હિપેટાઇટિસના કારણે લિવરમાં આવેલ સોજાને પણ ઉતારવામાં જેઠીમધ મદદરૂપ થાય છે.
🌿એન્ટિ બેક્ટેરિયલ :
જેઠીમધમાં જીવાણુ વિરોધી અને બેક્ટેરિયા વિરોધી તત્વો હોવાના કારણે તેને ચગળવાથી કેવેટી વધારનારા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે.
🌿દાંતનો સડો :
દાંતમાં રહેલા સડાને પણ ઓછો કરે છે. દાંતના આરોગ્ય માટે જોઠીમધના પાઉડરનો પ્રયોગ કરવો જોઈએ.
🌿ખાંસી :
જેઠીમધ મોઢામાં રાખીને ઘણા સમય સુધી સુચતા રહેવાથી ખાંસીથી આરામ મળે છે. જો તમને સુકી ઉધરસ છે તો 1 ચમચી જેઠીમધને મધ સાથે ભેળવીદિવસમાં 2 થી ૩ વખત ચાટીને ખાવાથી તેમજ જેઠીમધનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલી માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી જેઠીમધનો ફાયદો મળે છે.
🌿હ્રદય :
3 થી 5 ગ્રામ જેઠીમધ અને તેટલી જ માત્રામાં બાલકાડુ ચૂર્ણ ભેળવીને, આ મિશ્રણને 15 થી 20 ગ્રામની માત્રામાં પાણી સાથે દરરોજ લેવાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓથી રાહત મળે છે.
🌿અલ્સર :
જેઠીમધનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી પેટના અલ્સરને ઠીક કરી શકાય છે. તેના માટે એક ચમચી જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરને એક કપ દુધમાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી પેટના અલ્સરની બીમારી ઠીક થાય છે.
🌿માસિક સ્ત્રાવ :
માસિક ધર્મ દરમિયાનના દિવસોમાં વધારે લોહી નીકળી રહ્યું હોય તો એવા સમયે જેઠીમધનું સેવન કરવાથી તેને અટકાવી શકાય છે. તેના માટે 1 થી 2 ગ્રામ જેઠીમધ ચૂર્ણમાં 5 થી 10 ગ્રામ સાકર ભેળવીને ચોખાના ધોવરાવણમાં નાખીને પીવાથી માસિક દરમિયાન વધારે પડતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
🌿માથાનો દુખાવો :
માથાના દુખાવાથી પરેશાન વ્યક્તિ માટે જેઠીમધ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધનો પાવડરના એક ભાગમાં તેના ચોથાભાગનું કલીહારી ચૂર્ણ અને થોડુક સરસવનું તેલ ભેળવીને સુંઘવાથી માથાનો દુખાવો મટે છે. માઈગ્રેનના દુખાવાથી પરેશાન રહેનાર લોકો માટે જેઠીમધ ખુબ જ ફાયદાકારક છે.
🌿ઉલ્ટીમાં લોહી :
જો ઉલ્ટી કરતા સમયે લોહી નીકળતું હોય તો જેઠીમધનું સેવન કરવાથી અથવા જેઠીમધ અને રક્ત ચંદન ચૂર્ણ બંનેને 1 થી 2 ગ્રામની માત્રામાં દૂધ સાથે વાટીને તેમાં 50 મિલી દૂધ ભેળવીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉલ્ટીમાં લોહી આવવાનું બંધ થઇ જાય છે.
🌿માઈગ્રેન :
જેઠીમધનું ચૂર્ણ અથવા જેઠીમધના પાવડરમાં મધ ભેળવીને નેજલ ડ્રોપની જેમ નાકમાં નાખવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે.
🌿લોહીની ઉણપ :
શરીરમાં લોહીની ઉણપ સર્જાતા પર જેઠીમધનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તેના માટે એક ચમચી જેઠીમધ ચૂર્ણ અથવા જેઠીમધ પાવડરને મધ સાથે ભેળવીને ખાવાથી અથવા 10 થી 20 મિલી જેઠીમધના પાવડરને મધ સાથે ભેળવીને પીવાથી લોહીમાં વધારો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, આભાર.
વિનાયક હેલ્થ કેર & ફિજીયોથેરાપી સેન્ટર
Mo. 7096743132
9773172891
આ વનસ્પતિ હરસ મસાના દર્દીને દિવસ 3મા હમેશા માટે સારું કરી દે છે આ વનસ્પતિનું નામ ભોંયપાતરી છે રોજ વહેલી સવારે નરણા કોઠે એનો રસ 1કપ પીવાથી ગમે તેવાં ગંભીર મા ગંભીર દર્દીને પણ પ્રથમ દિવસથી સારું થય જાયછે આ ભોંયપાતરી નો રસ ફક્ત 3દિવસ પીવાથી હંમેશા માટે કાયમી ફાયદો થાય છે ઓપરેશન કરવાનું હોય તેવા દર્દીને પણ ઓપરેશનની જરૂર પડતી નથી.
અરણી
અરણીનાં વૃક્ષ ૧૦થી ૧૨ ફુટ ઉંચાં થાય છે. એને અતી સુગંધીત ફુલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ, સોજો, હરસ, આમવાત, મેદ, કબજીયાત અને પાંડુરોગનો નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશનો નાશ કરે છે. અરણીનાં પાન મસળવાથી સહેજ ચીકાશવાળો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ તમતમતો (તીખાશ પડતો) સહેજ ખારો અને કડવો હોય છે. અરણીની છાલ ધોળાશ પડતી ફીક્કી ભુખરા રંગની હોય છે. તેને કારતક-માગસરમાં ધોળાં સુંદર સુગંધીદાર ફુલો આવે છે. તેનાં ફળ નાનાં, લીસાં અને ચળકતાં હોય છે. ઔષધમાં અરણીનાં પાન અને મુળ વપરાય છે.
અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણ જ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.
અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે.
અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.)
અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.
બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.
ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પર તેનાં મુળીયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણજ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે. આથી ઘણા ચામડીના રોગો મટે છે. અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ અને ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે. અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે. આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.
અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી સોજા મટે છે.
અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.)
અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.
બકરીના તાજા દુધમાં અરણીનાં મુળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવાજુના રોગ મટી જાય છે.
ગડગુમડ કે ગાંઠ ઉપર અરણીના મુળને દુધમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે, ઓગળી જાય છે. ન પાકતી ગાંઠ પર તેનાં મુળીયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.
માહિતી: વિનાયક હેલ્થકેર માધાપર- ભુજ
બ્લેક ફંગસ અને સફેદ ફંગસ માટે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર - Deshi Osadiya આયુર્વેદ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસ સામે 100 ટકા સફળ. બ્લેક ફંગસ અને સફેદ ફંગસ માટે જબરદસ્ત આયુર્વેદિક ઉપચાર.
તાજેતરના સમયમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓ અંગે આટલો સામાજિક કલંક છે કે લોકો તમારી આસપાસના લોકો સાથે પણ શેર કરવામાં ડરતા હોય છે.ફક્ત એક વસ્તુ યાદ રાખો, માનસિક સ્વાસ્થ્ય એ અન્ય કોઈ પણ ચીજ કરતાં વધુ મહત્વનું છે.તમારે તમારી જાતને એટલી મજબૂત બનાવવી પડશે કે તમારી આસપાસની વસ્તુઓ તમને અસર ન કરે.મિત્રો / કુટુંબના સભ્યોનું સારું નજીકનું વર્તુળ છે કે જેની સાથે તમે કોઈ ખચકાટ વિના વસ્તુઓ શેર કરી શકો છો.હતાશા વાસ્તવિક છે. ચિંતા વાસ્તવિક છે. કૃપા કરીને તમારા માનસિક સ્વાસ્થ્યને અવગણશો નહીં. તમારા પરિવાર, મિત્રો પ્રત્યેની તમારી ભાવનાઓ વિશે ખોલો. કૃપા કરીને લોકોના ચુકાદાથી ડરશો નહીં. જોકે જીવન અઘરું લાગે પણ સમય સાથે ચોક્ક્સ બહાર આવી શકીએ , હંમેશાં જાતે સ્વસ્થ થવાનો અને આગળ વધવાનો એક રસ્તો છે.દરેક સુંદર ચિત્ર પાછળ, દુખ, અવરોધો અને સતત સંઘર્ષની વાર્તા છે. આપણામાંના ઘણા લડવૈયાઓની જેમ રોજિંદી જાતની અંદર એક અદ્રશ્ય લડાઈ લડતા હોય છે અને આપણે જીવવાનું પસંદ કરીએ છીએ, અને જે અસ્તિત્વમાં નથી, તેનાથી વિપરીત કરવાનું પસંદ કરે છે. તમે એકલતા અને ગેરસમજ અનુભવી શકો છો. તમે જીવનના હેતુ વિશે સવાલ કરી શકો છો. તમને પ્રેમ નહીં લાગે અને તમને પ્રેમ કરવા જેવું કંઈ નહીં મળે.આ લાગણીઓ ઠીક છે. ફક્ત તેમને તમારી અંદર ન રાખો. તેના વીશે વાત કરો. વ્યાવસાયિક સહાય લો. તમારી જાતને સમય આપો. રડવું,શોક કરવો. પણ મહેરબાની કરીને હાર માનો નહીં. હું તમને એક સમયે એક દિવસ જીવન લેવાની વિનંતી કરું છું.જીવન સરળ રહેશે.
"તેથી કૃપાળ બનો, કારણ કે તે તમારી પાસેથી કોઇ કંઇક છીનવી લેતું નથી, પરંતુ તે કોઈકનું જીવન બચાવી શકે છે."
બીલી : ઔષધિય ગુણધર્મો અને ઉપયોગો
બીલી વૃક્ષ અન્ય વૃક્ષની તુલનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. તેમજ રાસાયણિક પ્રદૂષકો માટે ફિલ્ટર તરીકે પણ કામ કરે છે. બીલી એક ચમત્કારીક વૃક્ષ છે , કારણ કે વૃક્ષના દરેક ભાગ જેવા કે ફળો (કાચા અને પાકા બંને), પાંદડા, ફૂલ, બીજ, છાલ વગેરેમાં ફાયદાકારક પોષકતત્વો તથા બાયોએક્ટિવ સંયોજનો રહેલા છે. બીલી પોષકતત્વોથી ભરપૂર છે.
બીલીનું ઉદ્દભવસ્થાન એશિયા છે, જેમાં મુખ્યત્વે ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયાનો સમાવેશ થાય છે. ભારતમાં ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરેમાં બીલીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ વૃક્ષ બાગ બગીચાઓ, મંદિરના બગીચા, રસ્તાની બાજુ પર અને ઘરના વાડામાં ઉગાડવામાં આવે છે.
તાજેતરમાં, રાજય કૃષિ યુનિવર્સિટીઓ તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા બીલીની કેટલીક જાતો વિકસાવવામાં આવેલ છે. જેમાં પંત શિવાની, પંત અપર્ણા, પંત ઉર્વશી, પંત સુજાતા, નરેન્દ્ર બીલી 5, નરેન્દ્ર બીલી - 9, સી.આઈ.એસ.એચ. - બી - 1, સી.આઈ.એસ.એચ. - બી - 2 વગેરેનો સમાવેશ થાય છે.
👉 બીલીના ગુણો :
બીલીના પાન, ફળ, છાલ તેમજ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કલોઇડઝ, કુમેરીન, સ્ટીરોઇડ, થાયામીન, રીબોફલેવીન તથા વિટામીનો પણ સારા પ્રમાણમાં રહેલા છે.
👉બીલી ફળ :
બીલી ફળ અંડાકાર અથવા ગોળાકાર આકારનું હોય છે અને તેનું કદ (વ્યાસ) 5 થી 25 સે.મી. જેટલું હોય છે. ફળમાં સખત, લાકડા જેવો બાહ્ય ભાગ હોય છે અને અંદર એક મીઠો, ઘટ્ટ અને સુગંધિત માવો (પલ્પ) હોય છે. માવાનો રંગ તેજસ્વી નારંગી જેવો પીળો હોય છે, જે કુદરતી એન્ટિઓકિસડન્ટ અને બાયોએક્ટિવ સંયોજનોનો પ્રાકૃતિક સ્ત્રોત માનવામાં આવે છે.
👉 બિલી ફળના લાભો :
હૃદય અને મગજ માટે ઔષધિ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.
• બીલીના ફળો પાચન ક્રિયાને પ્રોત્સાહન આપે છે તેમજ આંતરડાના ચેપમાં લાભદાયી છે.
• મરડો, અતિસાર, અલ્સર અને પાઇલ્સમાં દવા તરીકે પણ ઉપયોગી છે.
• કોલેસ્ટેરોલ અને મધુપ્રમેહને નિયંત્રણમાં રાખે છે.
• વિવિધ બીમારીઓ જેવી કે તાવ, વાઈ, કેન્સર, લોહીનું શુદ્ધિકરણ, કોલેરા, પાંડુરોગ તથા અસ્થમાં જેવી શ્વસન સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયી છે.
• ત્વચા રોગમાં : ફળના પાઉડરનો ઉપયોગ દાઝવાથી થયેલ ઈજાને મટાડવા પણ થાય છે.
બીલીમાંથી મૂલ્ય વર્ધિત બનાવટો જેવી કે જ્યુસ, બેવરેજ, કેન્ડી, જામ, પાઉડર, પંજરી વગેરે બનાવી શકાય છે. આ બનાવટમાંથી જ્યુસ અને કેન્ડી બજારમાં ઉપલબ્ધ છે. બીલીમાંથી મેળવેલા ઉત્પાદનો ખૂબ પૌષ્ટિક તેમજ તંદુરસ્ત છે.
👉 બીલીપત્ર :-
બીલીપત્ર સુગંધિત, ત્રણ પાંદડાનું ઝૂમખું હોય છે, જે શંકર ભગવાનના પુજનમાં ચડાવવામાં આવે છે.
> બીલીપત્ર (પાનનો અર્ક) ના લાભો :
• આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંજવામાં આવે છે.
• દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીના પાન વપરાય છે.
• અલ્સરમાં પાંદડાઓનો અર્ક વપરાય છે વિવિધ બીમારીઓ જેવી કે મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવા, પીઠનો દુઃખાવામાં રાહત, ઉલટી, હૃદયની નબળાઇ, શ્વાસનળીનો સોજો, અતિસાર, જલોદર, વિટામિન બી 1 ની ઊણપથી થતો રોગ (બેરીબેરી) વગેરેમાં ઉપયોગી છે.
• શરીરની ઈજા જેમ કે કપાયેલ ભાગ તથા પ્રાણીઓ દ્વારા થતી ઇજાઓમાં પાનનો અર્ક રૂઝ લાવવામાં ઉપયોગી છે.
• બીલીના પાનનો તાજો રસ રેચક છે.
• બીલીપત્રમાંથી નીકળેલું તેલ શરદી અને ખાંસીથી રક્ષણ આપે છે અને વાળ માટે ટોનિક તરીકે ખૂબ જ ઉપયોગી છે.
• બીલીપત્ર પશુચિકિત્સામાં ઘા અને ઘાસચારા માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.
👉 બીલીના વૃક્ષની છાલ :
છાલ નિસ્તેજ બદામી અથવા ભૂખરા રંગની, સરળ, લાંબી સીધી કરોડરજ્જુથી સજ્જ હોય છે.
> બીલીના વૃક્ષની છાલના (છાલનો અર્ક) લાભો :
• મૂળની છાલની અલ્કોહોલિક અર્ક હાઈપોગ્લાયકેમિઆ (લો બ્લડ શુગર) માં લાભદાયી છે.
• અર્ક શરીરના વિવિધ રોગો (તાવ, સંધિવા, હૃદયના વિકારો, ગેસ્ટ્રિક મુશ્કેલીઓ વગેરે ) મટાડવામાં ઉપયોગી છે.
• હૃદયના ધબકારા અને મેલાકોલિયા (ઉદાસીની લાગણી) ના ઉપાયમાં વપરાય છે.
• કુતરાના કરડવાથી થતા વિકારોમાં પણ ફાયદાકારક છે.
ઘણીવાર કાપેલા ભાગોમાંથી પાતળો સત્વ (ગુંદર) નીકળે છે. છાલનો ગુંદર જે કપાયેલ શાખાઓમાંથી મળે છે અને લાંબા સેરમાં લટકે છે, ધીમે ધીમે નક્કર બને છે. જેનો ઉપયોગ અલ્સર અને મરડામાં થાય છે.
👉 બીલીના ફૂલો :
ફૂલ મોટા ભાગે પાંચ પાંખડીવાળા મીઠી સુગંધ ધરાવતા અને સફેદ રંગના હોય છે.
> બીલીના ફૂલો (ફૂલોનો અર્ક) ના લાભો :
• ફૂલોની નિસ્યંદન પ્રક્રિયાથી મળતું અર્ક પેટના રોગોમાં, મરડો, મધુપ્રમેહ, ડાયફોરેટિક (ખૂબ પરસેવો થવો) વગેરેમાં ઉપયોગી છે.
• ફૂલોનો અર્ક સ્થાનિક એનેસ્થેટિક તરીકે પણ વપરાય છે.
• વાઈના ઇલાજ તથા ઉધરસમાં અર્ક ઘણો લાભદાયી છે.
૦ બીલી ફળના બીજ :
ખૂબ જ કઠણ, પાતળા, પારદર્શક ચીકણા ગૂંદરથી ઘેરાયેલા હોય છે, જે સૂકાઈ જાય ત્યારે સખત બને છે. બીજ તેલ બાહ્ય જગ્યા પર જીવાણુનાશક અને ફૂગનાશક ગુણ ધરાવે છે.
બીલીનો ઉપયોગ હજી પણ માત્ર મર્યાદિત ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યો છે અને મૂલ્યવર્ધિત બનાવટોની બાબતમાં તેના વ્યાપારીકરણ માટે વધારે ભાર આપવાની જરૂરિયાત છે. બીલીના 'વૃક્ષના વિવિધ હેતુઓ માટે વ્યાપક સંભાવના પર ધ્યાન આપતા, આ વૃક્ષને મોટા પાયે ખાસ કરીને બિનઉત્પાદક અને ઓછી ફળદ્રુપ જમીન પર ઉગાડવું યોગ્ય છે. કેમ કે તે પ્રતિકૂળ કૃષિ - આબોહવાની પરિસ્થિતિમાં પણ વિકાસ કરી શકે છે, જેથી કરીને આવી જમીનનો ઉપયોગ થઈ શકે અને તેનો ઉપયોગ ઔષધિય ઘટકો તરીકે મોટા પાયે થઈ શકે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને તેનો પ્રચાર અને પ્રસાર કરવાની ખાસ જરૂરિયાત છે. જેનાથી ઔષધિય ઉત્પાદન કરતા એકમોને પણ પૂરતા પ્રમાણમાં ઉપલબદ્ધતા થઈ શકે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં મનુષ્યના જુદા જુદા રોગો માટે વ્યાપક પ્રમાણમાં થઈ શકે.
માહિતી:- વિનાયક હેલ્થકેર માધાપર-ભુજ
હાલ ના સમય માં સૌથી વધારે જોવા મળતી વિટામિન ની ઉણપ એવા વિટામિન બી12 ની ઉણપ વિશે થોડી માહિતી.
➡️ આપણી તરફથી આપણે હંમેશાં સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાની કોશિશ કરીએ છીએ, તેમ છતાં પણ આજની અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણી ખાણી-પીણીમાં કોઈને કોઈ કમી રહી જાય છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે.
➡️સામાન્ય રીતે તો બધાં વિટામિન અને માઇક્રોન્યુટ્રિએંટ્સ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ વિટામીન B-12 એક એવું તત્વ છે, જેની કમી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
➡️શરીરમાં B-12 ની કમી ને લીધે લોહીની ઉણપ એટલે કે એનિમિયાની સાથે શરીરમાં ફોલિક એસિડનું અવશોષણ થઈ શકતું નથી.
➡️તે સિવાય તેની કમી ને લીધે કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમ મુખ્ય રૂપે પ્રભાવિત થાય છે, જેનાથી મગજને નુકસાન પહોંચે છે.
➡️વિટામીન B-12 કોઈ મામૂલી વિટામિન નથી, પરંતુ તે બોડીનાં ફેટને એનર્જીમાં બદલે છે. આ વિટામિન ની મદદથી ડીએનએ અને રેડ બ્લડ સેલ્સ બને છે. તે બોડીના નર્વ્સ ને પ્રોટીન સપ્લાય કરવામાં મદદ કરે છે.
➡️આ વિટામીન શરીર માટે ખૂબ જ જરૂરી છે. કારણકે જો શરીરમાં તેની ઊણપ થાય છે તો ઘણી વખત તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે.
➡️ મગજ તથા તંત્રિકા તંત્રને યોગ્ય રીતે કામ કરવા માટે પણ વિટામીન B-12 ખૂબ જ જરૂરી છે. જન્મજાત વિકૃતિઓ અને આનુવંશિક બીમારીઓથી બચવા માટે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં તેની ઉણપને દૂર કરવી જરૂરી છે.
➡️બોડીમાં નર્વસ સિસ્ટમ ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેના માટે વિટામીન B-12 ની ખૂબ જ જરૂરિયાત માનવામાં આવે છે. તેની ઉણપને લીધે મગજને ખૂબ જ નુકસાન પહોંચે છે. આગળ ચાલીને તે મૃત્યુને પણ કારણ બની શકે છે.
➡️વિટામીન B-12 ની ઉણપની જાણ વર્ષો સુધી થતી નથી, પરંતુ જ્યારે તેની જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઇ ચૂક્યું હોય છે. તેમ છતાં પણ અમે અમુક એવા સંકેત છે જેને ઓળખીને તમે પહેલાથી જ એલર્ટ થઇ શકો છો.
1- હાથ પગમા ઝણઝણાટી અને બળતરા
2- યાદશક્તિમાં ઘટાડો
3- વ્યવહારમાં અસ્થિરતા
4- અનાવશ્યક થાક
5- ડિપ્રેશન
6- જો શરીરમાં વિટામીન B-12 ની વધારે પડતી કમી થઈ જાય તો તેનાથી સ્પાઇનલ કોર્ડનાં નર્વ્સ નષ્ટ થવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને પેરાલીસીસ પણ થઈ શકે છે.
➡️સામાન્ય રીતે આ વિટામીન શરીરમાં નથી બનતું એટલા માટે તેની માત્રા ડાયટ અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા પૂરી કરી શકાય છે. અંકુરિત દાળ, દૂધમાંથી બનાવેલું દહીં, પનીર તથા માખણ, ગાજર, મૂળો, બીટ વગેરે વિટામીન B-12 નાં ખૂબ જ સારા સ્ત્રોત છે. નાળિયેર, બદામ અને સોયાબીન માંથી નીકળતા દૂધમાંથી પણ આ તત્વની પૂર્તિ કરી શકાય છે.
➡️વિટામીન B-12 મુખ્યત્વે માટીમાં મળી આવે છે, એટલા માટે જમીનની અંદર ઉગતા શાકભાજી જેવા કે બટેટા, ગાજર, મૂળો, બીટ વગેરે આંશિક રૂપથી મળી આવે છે.
➡️ વિટામિન B-12 સાથે સારવાર માં ફોલિક એસિડ લેવું પણ ખુબ જ જરૂરી છે. આથી હમેંશા ડોક્ટર ની સલાહ લઈ વિટામિન કે સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ.
❌❌ તમારા ઘરની બહાર મચ્છરો દુર કરવા ના ઉપાય
- પાણીના સંગ્રહના કન્ટેનર (ડોલ, કુંડી, વરસાદની બેરલ) ને ચુસ્તપણે ઢાંકવું જેથી મચ્છર ઇંડા આપવા અંદર ન જાય.
ઢાકણા વિનાના કન્ટેનર માટે, પુખ્ત મચ્છર કરતા નાના છિદ્રો વાડી વાયર મેશનો ઉપયોગ કરો.
-પાણીના મોટા કન્ટેનરની સારવાર માટે લારવિસાઇડ્સનો ઉપયોગ કરો જે પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં
- પાણીમાં અથવા નજીકમાં ઇંડા નાખતા મચ્છરોને રોકો.
અઠવાડિયામાં એકવાર પાણી ભરેલી વસ્તુઓ, જેમ કે ટાયર, ડોલ, રોપણી, રમકડાં, પૂલ, ફ્લાવરપોટ્સ અથવા કચરાપેટીઓ ખાલી કરવી અને સાફ કરવી .
- સ્થાયી પાણીવાળા ખાબોચિયા ઘર પાસે થી દુર કરવા.
- મચ્છર અંધારા, ભેજવાળા વિસ્તારોમાં જેવા કે ફર્નિચર હેઠળ અથવા અથવા ગેરેજ માં રહે છે .
- જ્યાં મચ્છરો આરામ કરે છે ત્યાં મારવા માટે બહારના જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરો.
-પેરમેથ્રિન અને ડીઇઈટી જેવા રિપેલેન્ટ્સ નો ઉપયોગ કરો.
❌❌તમારા ઘરની અંદર મચ્છરો દુર કરવા ના ઉપાય
- મચ્છરોને મારવા અને જ્યાં તેઓ આરામ કરે છે ત્યાં સારવાર માટે ઇનડોર ઇનસેક્ટ ફોગર અથવા ઇન્ડોર જંતુ નાશક સ્પ્રેનો ઉપયોગ કરો. આ ઉત્પાદનો તાત્કાલિક મચ્છર નો નાશ કરે છે.
-જો તમે ઘણા મચ્છરવાળા વિસ્તારોમાં હશો તો મચ્છરદાનીનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો.
- જો તમે બહાર અથવા રૂમમાં સ્ક્રીનો ન ધરાવતા રૂમમાં હોવ તો મચ્છર દાની વાળા પલંગ નો ઉપયોગ કરો.
-પર્મિથ્રિન-ટ્રીટેડ મચ્છર દાનીઓ વધારે સુરક્ષા પૂરી પાડે છે.
-લાંબી સ્લીવ શર્ટ અને લાંબી પેન્ટ પહેરો.
-ઓલઆઉટ, ગુડ નાઇટ વગેરે મચ્છર નાશક નો ઉપયોગ કરવો.
-ખાતરી કરો કે મચ્છરોને બંધ જગ્યાઓમાં પ્રવેશ ન કરે માટે સાંજ ના સમયે બારી અને દરવાજાઓ બંધ રાખો.
-લીંબડા નો ધુમાડો કરો.
Stay safe!!!
મોટાભાગના યુવાનોને નડી રહી છે આ સમસ્યા, સવારે ચાલવા જશો તો તમને નહિં થાય...!!!!
સામાન્ય રીતે આપણા શરીરને બધા જ પોષકતત્વો ખાવા-પીવામાંથી મળે છે પરંતુ વિટામિન ડી એક એવું વિટામિન છે જે આપણને સૂર્યપ્રકાશમાંથી સીધું જ મળે છે. આપણા શરીરને હરતુ ફરતુ રાખવામાં વિટામિન ડીનો ઘણો મોટો ફાળો છે.
• રોજિંદી જરૂિયાત:
સામાન્ય રીતે તમારા શરીરને રોજનું 400-800 IU જેટલું વિટામિન D3 મળવું જોઈએ. જો કે સવારે વહેલા ઊઠવાની આળસ, ભાગદોડ ભર્યા રૂટિનને કારણે મોટાભાગના યુવાનો સવારે કસરત કરવા નથી જતા અને જાય છે તો પણ જિમમાં પરસેવો પાડે છે જેને કારણે તેમને પૂરતો સૂર્ય પ્રકાશ મળતો નથી. મોટાભાગના લોકો ઘરે કે ઑફસમાં મહત્તમ સમય એસીમાં પસાર કરે છે જેને કારણે યુવાનોમાં આ વિટામિનની ઉણપ સાવ સામાન્ય થઈ ગઈ છે.
• કેમ મહત્વનું છે વિટામિન ડી?
વિટામિન ડી મજબૂત હાડકા માટે અગત્યનું છે કારણ કે તે શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે. જે લોકોને આ વિટામિનની કમી હોય તેમના શરીરમાં કેલ્શિયમની પણ ઉણપ જોવા મળે છે. આ ઉપરાંત તેમને હૃદયની સમસ્યા, કેન્સર જેવા રોગોનું જોખમ પણ વધી જાય છે.
• ઉણપ ના કારણે જોવા મળતા લક્ષણો:
- જલ્દી માંદા પડી જવું અને ઈન્ફેક્શનનો ભોગ બનવું. વિટામિન ડીની કમી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પાડી દે છે.
- દિવસ પૂરો થતા જ ખૂબ થાકી જવું, માથુ દુઃખવુ વગેરે. થાક લાગવાના અનેક કારણો હોઈ શકે છે પરંતુ વિટામિન ડીની ઉણપ એક અગત્યનું કારણ છે.
- કમર અને હાડકામાં દુઃખાવો થાય તો તેનું કારણ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે.
- આ વિટામિનની ઉણપને કારણે ડિપ્રેશન પણ આવી શકે છે.
- ઘા જલ્દી ન રૂઝાતો હોય તો ચેતી જાવ. વિટામિન ડી સોજો કાબુ કરવામાં અને ઈન્ફેક્શન સામે લડવામાં અગત્યનો રોલ ભજવે છે.
- હાડકા નબળા પડવા પણ એક મહત્વનું લક્ષણ છે.
*વિટામિન ડી સોર્સ:
વિટામિન ડી સામાન્ય રીતે ફિશ, સી ફૂડ અને એગ્સમાંથી મળે છે. શાકાહારી લોકો તે ગાયના દૂધમાંથી, સોય મિલ્ક, સંતરાના જ્યુસ, સિરિયલ્સ વગેરેમાંથી મેળવી શકે છે. પરંતુ આ ખામી દૂર કરવાનો સૌથી અસરકારક તરીકો છે સવારે ચાલવા જવાનો.
• વિટામિન ની ઉણપ હોય તો તેની સારવાર માટે તમારા ડૉક્ટર નો સંપર્ક કરો અને તેમની સલાહ મુજબ સારવાર કરાવી જરૂરી છે.
મોંઘી દવા વગર ગળાના દુખાવા અને ફેફસાંમાં ઇન્ફેકશનનો 100% અસરકારક ઉપચાર છે આ.. - Social Dayro આજે અમે તમને ગાળાના દુખાવાના ઇલાજ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગળાના દુખાવાની શરૂઆત ગળાની ઇજા, ગળાના છાલા થી અથવ.....
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
370020
Opening Hours
Monday | 8:30am - 8:30pm |
Tuesday | 8:30am - 8:30pm |
Wednesday | 8:30am - 8:30pm |
Thursday | 8:30am - 8:30pm |
Friday | 8:30am - 8:30pm |
Saturday | 8:30am - 8:30pm |
Old Shack Market Road Malaseri Library Chowk Anjar Kutch
Bhuj, 370110
Bhuj
This page is created to share wisdom of changing our perspectives of any situations to heal and empower us from inside
Empire Tower, Sanskar Nagar, Manglam Char Rasta
Bhuj, 370001
Weight gain / weight loss expert � �7year hardcore experience � Transform your body 120%� For more info DM me�
Shop No 1, Diti Arcade, Near Drive Bhdarka Hospital, Opp. Khavda Sweet, Hospital Road, Bhuj/
Bhuj, 370001
Bhuj, 370001
The main aim behind creating this page is to provide unbiased information about health life.
Bhuj
"Healthy Wealthy India" name it self introduced the page......our goal is make healthy India for that we are selling some aayurvedik products...!