Ramesh Nabhani
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ramesh Nabhani, Politician, Palanpur.
આજે 13/10/2025 ના રોજ પરપડા મુકામે રામદેવપીરના મંદિરે નવપર ગણા રાવળદેવ સમાજનો તેજસ્વી વિદ્યાર્થીઓનો અને નિવૃત્ત તેમજ નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારંભ યોજાયો જેમાં હાજર રહવાનું થયું..આયોજકો,વિદ્યાર્થીઓને અને સહકાર આપનાર તમામ નો ખૂબ ખૂબ આભાર 🌹
*મફત મેડિકલ સ્ટોર.*
વિશ્વના કોઈપણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં, આ દવાઓ નો બરાબર ધ્યાનથી વાંચીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને *જીવનભર કોઈ ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં.*
1. વહેલા સુઈને વહેલા ઉઠો એ દવા છે.
2. ૐ કાર નો નાદ કરવો એ દવા છે.
3. યોગ પ્રાણાયામ અને વ્યાયામ એ દવા છે.
4. સવાર-સાંજ ચાલવું એ પણ દવા છે.
5. ઉપવાસ એ બધા રોગની દવા છે.
6. સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવા છે.
7. માટલાનું પાણી પીવું એ પણ દવા છે.
8. શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ પણ દવા છે.
9. ખૂબ ચાવીને ખાવું એ એક દવા છે.
10. ખોરાકની જેમ પાણીને પણ ચાવીને પીવું એ પણ દવા છે.
11. જમ્યાબાદ વજ્રાસનમાં બેસવું એ દવા છે.
12. ખુશ રહેવાનો નિર્ણય એ પણ દવા છે.
13. ક્યારેક મૌન રહેવું એ પણ દવા છે.
14. હાસ્ય અને રમૂજ એ દવા છે.
15. સંતોષ એ પણ દવા છે.
16. તન અને મનની શાંતિ એ દવા છે.
17. મનમાં સકારાત્મકતા એ દવા છે.
18. નિસ્વાર્થ પ્રેમ,લાગણી એ પણ દવા છે.
19. સર્વનું ભલું કરવું એ પણ દવા છે.
20. કોઈના આશીર્વાદ મળે તેવું કામ કરો એ દવા છે.
21. દરેક સાથે હળીમળીને રહેવું એ દવા છે.
22. પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ દવા છે.
23. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને પ્રત્યેક નવા દિવસનો સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા જ છે.
*આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે એ પછી તેનો અમલ કરીએ એ પણ એક દવા સમાન જ છે*...!!!
🌹🌲🪴🌹🪴🌲🌹
*પટેલ / પાટીદાર સ્પેશિયલ બુક*
પુસ્તકનું નામ : લેઉવા - કડવા કણબી વર્ણ વ્યવસ્થા...?
વાંચો રમેશ સવાણીનો આ આર્ટિકલ.
------
પટેલો/પછાતવર્ગો માટે ‘ભારતીય રાષ્ટ્ર’ હિતકારી કે ‘હિન્દુરાષ્ટ્ર’?
[પાર્ટ-1]
એક 32 પેઈજની નાનકડી પુસ્તિકા-‘લેઉવા-કડવા કણબી, વર્ણ વ્યવસ્થામાં વૈશ્ય કે શૂદ્ર?’ પ્રત્યેક પટેલે તથા પછાતવર્ગમાં સમાવેશ થતાં લોકોએ અવશ્ય વાંચવી જોઈએ. લેખક છે મણિલાલ કપુરિયા તથા ભરત ધડુક. આ પુસ્તિકાને ઈ.બૂક સ્વરુપે 77 પેઈજમાં રજૂ કરનાર છે રેશનલ જાગૃતિના રખેવાળ ગોવિંદભાઈ મારુ ! તેમના અભિવ્યક્તિ બ્લોક ઉપર કુલ-60 બહુમૂલ્ય રેશનલ પુસ્તકોની ઈ.બૂક્સ; બિલકુલ વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકો છો ! ગુજરાતના લેઉવા/કડવા કણબીઓ/પટેલોને ભ્રમ છે કે મનુસ્મૃતિ/શિક્ષાપત્રી મુજબ તેઓ વૈશ્ય વર્ણમાં આવે છે ! કેટલાંક તો લવ/કુશના વંશંજ તરીકે ક્ષત્રિયવર્ણનો દાવો કરે છે. વાસ્તવમાં પટેલો શૂદ્રવર્ણમાં આવે. દિલ્હીના અક્ષરધામ મંદિરમાં સ્વામિ સહજાનંદજીનો ઈતિહાસ રજૂ કરવામાં આવેલ છે; તેમાં સહજાનંદજીએ ગુજરાતના શૂદ્રોનો ઉદ્ધાર કર્યો હતો, તેવું દર્શાવેલ છે. આપણે SC/ST જેને કહીએ છીએ, તેના ઉદ્ધારની તેમાં વાત નથી. SC/ST વર્ગ તો ચારવર્ણની બહાર હતો. સહજાનંદજી શૂદ્રને સત્શૂદ્ર કહે છે. શિક્ષાપત્રી શ્લોક-45માં સ્પષ્ટ રીતે લખ્યું છે કે “સત્શૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઊતરતા એવા ભક્તજન તેમણે ચંદનાદિ કાષ્ઠની બેવડી માળા કંઠમાં ધારણ કરવી અને લલાટમાં કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું !” આમ શિક્ષાપત્રી મુજબ શૂદ્રો એટલે કે પટેલ/કુંભાર/વાણંદ/લુહાર/ભરવાડ/કોળી/આહિર/મેર વગેરે તિલક-ચાંદલો કરી શકે; પરંતુ અતિશૂદ્ર માત્ર ચાંદલો જ કરી શકે, તિલક નહીં !
1947 પહેલાં કણબીઓ મોટાભાગે માત્ર ખેતી કરતા, તેમની પાસે પોતાની જમીન ન હતી. રાજાઓ/સામંતો જમીનના માલિકો હતા; કણબીઓ તેમના ‘ભાગિયા’ હતા ! કણબીઓ ઉજળિયાત ગણાતા ન હતા. આઝાદી પહેલા, જે વર્ણના લોકો પરસેવો પાડ્યા વિના/કપડાંને ડાઘ પાડ્યા સિવાય પોતાનું જીવન સુખચેનથી જીવતા હતા, તેવા વર્ણના લોકો ઉજળિયાત તરીકે ઓળખાતા હતા, તેમાં બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્યનો સમાવેશ થતો હતો. કણબીઓ જન્મજાત શ્રમજીવી છે તે શૂદ્ર વર્ણમાં આવે. કણબીઓ જનોઈ ધારણ કરતા નથી. શૂદ્રને જનોઈનો અધિકાર નથી. જનોઈ; બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્ય ધારણ કરી શકતા હતા. જનોઈધારી લોકો જ શિક્ષણ/સંપત્તિ/શસ્ત્રો ધારણ કરી શકતા હતા ! જનોઈ ધારણ કરનાર દ્વિજ કહેવાય, બાકીના અદ્વિજ-શૂદ્ર કહેવાય. આઝાદી પહેલા ગોરબાપા વર્ણ અનુસાર બાળકોના નામ પાડતા હતા. બ્રાહ્મણના નામ મંગળસૂચક હોય-ઉમિયાશંકર/વિદ્યાચરણ/મુરલીમનોહર ! ક્ષત્રિયોના નામ વીરતાસૂચક હોય-શક્તિસિંહ/પરાક્રમસિંહ/અજિતસિંહ ! વૈશ્યના નામ ધનસૂચક હોય-અમીચંદ/સાકરચંદ/લક્ષ્મીચંદ ! જ્યારે શૂદ્રના નામ તોછડા/તિરસ્કાર સૂચક હોય-ભીખો/વેલો/જેઠો/ઝીણો/ડાયો/પેથો/ભીમો/સોમો/રામો/નાથો/ઉકો/ખોડો/સવો/દેવો/ઘેલો/ઓધો/જીવો/શિવો ! જે પટેલો પોતાને ઉજળિયાત/સવર્ણ માને છે તેમણે 1947 પહેલા પોતાના વડિલોના/દાદાઓના નામ જાણશે તો સત્ય સમજાશે ! કણબીઓની જેમ ઠાકોર/કોળી/કારડિયા/નાડોદા/આહિર/ભરવાડ/રબારી/કુંભાર/સુથાર/લુહાર/વાણંદ/દરજી/કંસારા/ભોઈ/દેવીપૂજક વગેરે જાતિઓ શૂદ્ર વર્ણમાં આવતી હોવાથી તેમના નામો પણ બે-ત્રણ અક્ષરના તોછડા રહેતા ! SC/ST અવર્ણ હતા, પરંતુ તેમના નામો શૂદ્ર જેવા જ રખાતા !
વર્ષ 2000માં, અમેરિકાની University of Utahના પ્રોફેસર Michael Bamshadએ વિશ્વના દેશોના લોકોના DNAના અભ્યાસ કરેલ; તેમાં જાણવા મળેલ ”ભારતની ઉચ્ચ જાતિઓના લોકો આનુવંશિક રીતે યુરોપના લોકોથી વધુ નજીક છે. શૂદ્ર/અતિશૂદ્ર જાતિઓ એશિયાઈ જનસમૂહોની નજીક છે, યુરોપિયન લોકોથી દૂર છે. ભારતના લોકોની આનુવંશિક બનાવટ ખાસ પ્રકારની વિશેષતાઓથી યુક્ત છે, જેને ‘હેપ્લો સમૂહ’ કહે છે, જે એશિયનોથી વધુ નજીક છે.” મહાત્મા જ્યોતિબા ફૂલે [11 એપ્રિલ 1827-28 નવેમ્બર 1890] કહે છે : “વિદેશી આર્યોએ દેશના મૂળનિવાસીઓ ઉપર આક્રમણ કરી તેમને પરાજિત કર્યા. પરાજિત લોકોને ગુલામ બનાવી તેમણે શૂદ્ર/અતિશૂદ્ર તરીકે અધિકાર વંચિત કરી દીધાં. શૂદ્ર/અતિશૂદ્રના પૂર્વજો પ્રાચીન ભારતના શાસકો હતા; મૂળનિવાસી હતા. આગળ જતા આર્યો બ્રાહ્મણ તરીકે ઓળખાયા. પરાજિત મૂળનિવાસીઓની એકતા તોડવા આર્ય બ્રાહ્મણોએ ચાર વર્ણની વ્યવસ્થા ઊભી કરીને શૂદ્રો/અતિશૂદ્રો તરીકે હજારો જાતિઓમાં વહેંચી દીધાં.” ચાર વર્ણની વ્યવસ્થા ઈશ્વરે ઊભી કરી છે, તેમ હિન્દુ ધર્મગ્રંથો કહે છે; પરંતુ આ વ્યવસ્થા વિશ્વના બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી ! વર્ણ વ્યવસ્થા એટલે 90% વસતિનું શોષણ કરવાની વ્યવસ્થા ! મનુસ્મૃતિ અધ્યાય-10, શ્લોક-123 કહે છે : “બ્રાહ્મણની સેવા કરવી તે શૂદ્રનો સર્વોત્તમ વ્યવસાય છે, કેમકે તેના સિવાય તે જે કંઈ કરે છે તેનાથી કોઈ ફળ મળતું નથી !” શાક્તપંથમાં/વામમાર્ગમાં નગ્ન થઈને પૂજા કરવાની પ્રથા શરુ થઈ હતી. દારુ/માંસ વગેરે સ્વીકાર્ય ગણાતું. મહિલાઓની શક્તિના પ્રતીક તરીકે પૂજા કરતા અને તેને ભોગવતા. પેશવા શાસનમાં બ્રાહ્મણોની જમીનનું મહેસૂલ બીજા લોકોના મહેસૂલથી અડધું રહેતું ! અતિશૂદ્ર/અછૂતોની હાલત અમાનવીય હતી; તેઓ ઘરની બહાર નીકળે ત્યારે તેમના થૂંકથી અને પગલાંથી બ્રહ્મણો અભડાઈ ન જાય તે માટે ગળામાં કુલડી; પોતાના પગલાં ભૂંસવા કમરે કાંટાળા ઝાડની ડાળખી બાંધવી પડતી ! પેશવા શાસનના અંતમાં અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાશનમાં શરુઆત સમયે; સૌરાષ્ટ્ર/ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં કણબીઓ સહિત શૂદ્રવર્ણની જાતિઓમાંથી એક પણ વ્યક્તિએ શાળા જોઈ ન હતી ! 1813માં અંગ્રેજોએ શાળાની શરુઆત કરી. 1848માં જ્યોતિબા ફૂલેએ શૂદ્ર/અતિશૂદ્રો માટે શાળા ખોલી; ત્યારે બ્રાહ્મણોએ સખ્ત વિરોધ કર્યો હતો ! તેમણે 1883માં ખેડૂતોની દુર્દશા અંગે પુસ્તક લખ્યું- ‘ખેડૂતોનો કોરડો.’ તેમાં કણબી સહિત ખેડૂતો વિશે લખ્યું છે : “ખેડૂતોના પગમાં જોડા નથી હોતા. તેની કમર પર એક લંગોટી હોય છે. તે તડકામાં કામ કરે છે. તેના હાથમાં લાકડાનું હળ હોય છે અને જીભ પર મધુર ગીત. જ્યારે તે કોર્ટમાં જાય છે ત્યારે તે પાણકોરાનું પહેરણ પહેરે છે, પગમાં હંમેશા ફાટેલા જોડા હોય છે. તેના ભોજનમાં જુવાર અને બાજરાનો રોટલો, શક્કરિયાં, ગાજર હોય છે. મરચાની ચટણી જરુર હોય છે. તેનું ઘર છાણથી લીંપેલું હોય છે. જેમાંથી ગંધ આવતી હોય છે. બાજુમાં જ ઢોરની ગમાણ હોય છે. જ્યાંથી દુર્ગંધ આવતી હોય છે. રસોડામાં માટીના વાસણો/ઓરડામાં ગોદડીઓ/ખૂણામાં અનાજ રાખવાની કોઠી હોય છે. આવું જ હેય છે ખેડુતનું ઘર !” પુરોહિતવર્ગ શૂદ્રોને જન્મથી લઈ સ્મશાન સુધી અને ગર્ભાધાનથી લઈને તીર્થયાત્રા સુધી વિવિધ પ્રસંગોએ ધર્મના નામે કેવી રીતે લૂંટે છે? ધાર્મિક કર્મકાંડ/વિધિઓ શૂદ્રો પર લાદીને કઈ રીતે સતત ચાલુ રખાય છે? તે અંગે લોકોને જાગૃત કરવા આ પુસ્તક લખેલ હતું. નહેરુ/સરદાર પટેલ/ડો. આંબેડકર જેવા પ્રગતિશીલ નેતૃત્વને કારણે આપણને બંધારણ મળ્યું અને સૌ નાગરિકોને સમાન ગણ્યા. દેશનું બંધારણ RSS વડા ગોલવલકર/પંડિત દીનદયાલ ઉપાધ્યાય/ દેવરસ જેવા મનુસ્મૃતિ પ્રેમીઓએ; ગોડસેવાદીઓએ બનાવ્યું હોત તો કણબીઓને તથા પછાતવર્ગોને સમાનતાનો અધિકાર મળત ખરો? તો કણબીઓની/પછાતવર્ગોની દશા આજે કેવી હોત? સૌથી મોટો સવાલ એ છે કે પટેલો/પછાતવર્ગો માટે ‘ભારતીય રાષ્ટ્ર’ હિતકારી કે ‘હિન્દુરાષ્ટ્ર’?
- રમેશ સવાણી
*પ્રેસનોટ: 697*
*આમ આદમી પાર્ટી*
*તારીખ: 15/09/2024*
*દિલ્લીના CM અરવિંદ કેજરીવાલનું મોટું એલાન, જ્યાં સુધી દિલ્હીની જનતા પોતાનો ફેંસલો નહીં સંભળાવી દે, ત્યાં સુધી હું સીએમની ખુરશી પર નહીં બેસું, બે દિવસ પછી રાજીનામું આપી દઈશ*
*મનીષ સિસોદિયાએ પણ નિર્ણય લીધો છે કે તેઓ ઉપમુખમંત્રી પદ ત્યારે જ સંભાળશે, જ્યારે જનતા તેમને જીતાડીને ઇમાનદારીનું સર્ટિફિકેટ આપશે- કેજરીવાલ*
*ધારાસભ્ય દળની થનારી બેઠકમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે- કેજરીવાલ*
*હું કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરું છું, નવેમ્બરમાં મહારાષ્ટ્ર સાથે જ દિલ્હી વિધાનસભાનું ચૂંટણી પણ કરાવવામા આવે- કેજરીવાલ*
*મેં મારા ઉસુલોથી માત્ર 49 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું, મને પદ અને દોલતનો લાલચ નથી- કેજરીવાલ*
*હું સત્તાથી, પૈસા-પૈસાથી, સત્તાની રમત રમવા માટે નથી આવ્યો, દેશ માટે કંઇક કરવા માટે રાજનીતિમાં આવ્યો છું- કેજરીવાલ*
*દિલ્હીવાસીઓને અપીલ, તમને લાગે કે હું ઇમાનદાર છું તો મારા તરફમાં મત આપજો અને લાગે છે કે ગુનાહગાર છું તો મને મત આપશો નહિ- કેજરીવાલ*
*દેશના સૌથી કઠોર કાયદા પીએમએલએમાં જામીન મળતી નથી, પરંતુ અમને મળી ગઈ, અમે કોર્ટના આભાર માનીએ છીએ- કેજરીવાલ*
*ભગત સિંહે પણ નહિ વિચાર્યું હશે કે 95 વર્ષ પછી ભારતમાં એક ક્રૂર અને અત્યાચારી સરકાર આવશે, જે અંગ્રેજોને પણ પાછળ છોડી દેશે- કેજરીવાલ*
*મને જેલમાં મોકલવાના પાછળ તેમનું મકસદ દિલ્હી અને પંજાબની સરકાર તોડીને ભાજપની સરકાર બનાવવાનો હતો- કેજરીવાલ*
*મુખ્યમંત્રીનું પદ મહત્વપૂર્ણ નથી, મેં રાજીનામું એટલે આપ્યું કારણ કે અમારા માટે બંધારણ, દેશ અને પ્રજાતંત્રને બચાવવું જરૂરી છે- કેજરીવાલ*
*અમે એટલે મફત અને 24 કલાક વીજળી, શાનદાર શાળા-હોસ્પિટલ, મહિલાઓને બસ મુસાફરી, વૃદ્ધોને તીર્થયાત્રાની સુવિધા આપી શક્યા, કારણ કે અમે ઇમાનદાર છીએ- કેજરીવાલ*
*આ લોકો બેઇમાન છે, એટલે જ તેમના શાસિત રાજ્યોમાં મફત અને 24 કલાક વીજળી, સારી શાળા-હોસ્પિટલ નથી બની શક્યા છે- કેજરીવાલ*
*'આપ' મુખ્યાલય પર કાર્યકરો અને જનતાને સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા સંબોધન*
*અમદાવાદ/ગુજરાત*
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે તેમના રાજીનામાની જાહેરાત કરી દિલ્હી સહીત સમગ્ર દેશને ચોંકાવ્યો. એક બનાવટી કેસમાં પાંચ મહિના પછી જેલમાંથી બહાર આવ્યા પછી પાર્ટી મુખ્યાલય પર 'આપ' કાર્યકરો અને જનતાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આગામી બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદનો રાજીનામું આપી દઈશ અને જ્યાં સુધી જનતા પોતાનું ફેંસલો નહીં સંભળાવી દે કે હું ઇમાનદાર છું, ત્યાં સુધી સીએમની ખુરશી પર નહીં બેસું. આ દરમિયાન કેજરીવાલે એક મોટો એલાન કર્યો કે મારા સાથે મનીષ સિસોદિયાએ પણ નિર્ણય કર્યો છે કે તેઓ પણ ઉપમુખમંત્રી અને શિક્ષણ મંત્રી પદ ત્યારે જ સંભાળશે, જયારે જનતા ચૂંટણીમાં તેમને જીતાડીને ઇમાનદારીનું સર્ટિફિકેટ આપશે. ટૂંક સમયમાં ધારાસભ્ય દળ બેઠકમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. સાથે જ, તેમણે કેન્દ્ર સરકારને નવેમ્બરમાં મહારાષ્ટ્ર સાથે જ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પણ કરાવવાની માંગણી કરી છે. આ દરમિયાન પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સંજય સિંહ, ડૉ. સંદીપ પાઠક, રાઘવ ચઢ્ઢા, ગોપાલ રાય, આતિશી, સૌરભ ભારદ્વાજ સહીત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા.
*જો મને પૈસા કમાવા હતા તો ઇન્કમટેક્સ કમિશનરની નોકરી ખરાબ નહોતી- કેજરીવાલ*
રવિવારે પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ ઈન્કમ ટેક્સ વિભાગમાં કમિશનર તરીકે કામ કરતા હતા. મેં વર્ષ 2000 માં મારી નોકરી છોડી દીધી અને 2010 સુધી દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં વિતાવ્યો. હું પણ થોડા દિવસોથી નંદ નગરી અને સુંદર નગરીની ઝૂંપડપટ્ટીમાં રહું છું. ગરીબ માણસ કેવી રીતે રહે છે, તેનો પરિવાર કેવી રીતે જીવે છે તે જાણવા માટે મેં દરેક ગલીમાં શોધખોળ કરી છે? જો પૈસા જ તમને જોઈતા હતા, તો ઈન્કમટેક્સ કમિશનરની નોકરી ખરાબ ન હતી. જ્યારે મેં નોકરી છોડી ત્યારે કોઈ પક્ષ નહોતો અને ન તો હું મુખ્યમંત્રી બનવાનો હતો. મારું કોઈ ભવિષ્ય નહોતું, મારી પાસે માત્ર દેશ માટે કંઈક કરવાનો જુસ્સો હતો. મારી ઉસૂલો માટે મેં માત્ર 49 દિવસમાં રાજીનામું આપી દીધું. મારી પાસે કોઈએ રાજીનામું માંગ્યું ન હતું. આજના જમાનામાં પટાવાળાની નોકરી કોઈ છોડતું નથી, મુખ્યમંત્રી પદ મેં જાતે જ છોડી દીધું હતું. હું પદનો લોભી નથી કે ધનનો લોભી નથી. હું માત્ર દેશ માટે કંઈક કરવાનું ઝનૂન રાખું છું.
*હવે જનતાએ નક્કી કરવું જોઈએ કે કેજરીવાલ ઈમાનદાર છે કે ગુનેગાર - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેણે મારા અને મનીષ સિસોદિયા પર આરોપો લગાવ્યા છે. આ દેશના સૌથી કડક પીએમએલએ હેઠળ અમારા પર વિવિધ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. આમાં જામીન મળતા નથી. આ પછી પણ અમને કોર્ટમાંથી જામીન મળી ગયા. અદાલતે અમારી તરફેણમાં જે કર્યું તેનાથી વધુ કંઈ કરી શકી ન હતી. અમે કોર્ટના ખૂબ આભારી છીએ. વકીલોએ કહ્યું કે આ કેસ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ચાલશે. આજે હું જનતાના દરબારમાં આવ્યો છું. હું જનતાને પૂછવા આવ્યો છું કે તમે કેજરીવાલને ઈમાનદાર માનો છો કે ગુનેગાર? હું દિલ્હી અને દેશની જનતાને પૂછવા માંગુ છું કે કેજરીવાલ ઈમાનદાર છે કે ગુનેગાર. અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે આજથી બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું અને જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું શેરીએ શેરીએ, ઘરે ઘરે જઈશ. કેજરીવાલ પ્રામાણિક છે એવો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં.
*જ્યારે જનતા કહે કે હું પ્રામાણિક છું, ત્યારે જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ- કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજથી થોડા મહિના પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે. હું દિલ્હીના લોકોને અપીલ કરવા માંગુ છું કે જો કેજરીવાલ ઈમાનદાર હોય તો તેઓ મારી તરફેણમાં મતદાન કરે. જો તમને લાગે કે કેજરીવાલ ગુનેગાર છે તો મને વોટ ન આપો. દિલ્હીની જનતાનો દરેક મત મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર હશે. જો તમે મને વોટ આપીને જીતાડશો અને કહો કે કેજરીવાલ ઈમાનદાર છે તો ચૂંટણી પછી હું સીએમની ખુરશી પર બેસીશ. ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં.
*ભગવાન રામના પરત આવ્યા બાદ માતા સીતાએ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું, આજે જેલમાંથી પાછા આવીને હું અગ્નિપરીક્ષા આપવા તૈયાર છું - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમે વિચારતા હશો કે હું હમણાં જ જેલમાંથી છૂટ્યો છું, તો પછી હું આવું કેમ બોલી રહ્યો છું, કેમ રાજીનામું આપી રહ્યો છું? તેઓએ મારા પર આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ ચોર છે, ભ્રષ્ટ છે અને ભારત માતા સાથે દગો કર્યો છે. હું આ કરવા માટે રાજકારણમાં આવ્યો નથી. સત્તા અને પૈસાની રમત રમવા માટે રાજકારણમાં આવ્યા નથી. હું દેશ માટે કંઈક કરવા આવ્યો છું. જ્યારે ભગવાન રામ 14 વર્ષ પછી પાછા ફર્યા ત્યારે માતા સીતાને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું. આજે હું જેલમાંથી આવ્યો છું અને મારી અગ્નિ પરિક્ષા આપવા તૈયાર છું.
*અમારા માટે શરતો મહત્વની નથી, પરંતુ મારી પ્રામાણિકતા મહત્વની છે - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જામીન પર કેટલીક શરતો મૂકી છે કે તે કામ કરી શકશે નહીં. શું આ લોકોએ છેલ્લા 10 વર્ષમાં શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી? એલજી સાહેબે શરતો લાદવામાં કોઈ કસર છોડી ન હતી. કેન્દ્ર સરકારે એક પછી એક કાયદો લાવી મારી સત્તા છીનવી લીધી, પરંતુ મેં દિલ્હીનું કામ અટકવા દીધું નથી. આ શરતો આપણા માટે અવરોધ નથી. અમે આ શરતો પણ જોઈશું. પરંતુ મેં જીવનમાં જે પ્રામાણિકતા મેળવી છે તે મહત્વનું છે. જો દિલ્હીના લોકોને લાગે છે કે કેજરીવાલ ઈમાનદાર છે તો તેઓ મારી તરફેણમાં મત આપશે અને ચૂંટણી પછી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.
*મારો અને મનીષ સિસોદિયાનો નિર્ણય હવે દિલ્હીની જનતાના હાથમાં છે - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. આજે આ મંચ પર હું માંગ કરું છું કે નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે દિલ્હીની ચૂંટણી પણ યોજવી જોઈએ. જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી મારી પાર્ટીમાંથી કોઈ અન્ય મુખ્યમંત્રી બનશે. આગામી બે-ત્રણ દિવસમાં ધારાસભ્ય દળની બેઠક મળશે અને તેમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. તેણે કહ્યું કે મારા મનમાં જે દર્દ છે તે મનીષ સિસોદિયાના મનમાં પણ છે. તેમના માટે પણ એ જ વાત કહેવામાં આવી હતી, જે મારા માટે કહેવામાં આવી હતી. મનીષ સિસોદિયા એમ પણ કહે છે કે તેઓ દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનું પદ ત્યારે જ સંભાળશે જ્યારે દિલ્હીના લોકો કહેશે કે મનીષ સિસોદિયા ઈમાનદાર છે. મારો અને મનીષ સિસોદિયાનો નિર્ણય દિલ્હીની જનતાના હાથમાં છે. અમે બંને જનતાની અદાલતમાં જવાના છીએ. તેમણે કહ્યું કે 2020માં મેં કહ્યું હતું કે જો મેં કામ કર્યું હોય તો મને વોટ આપો અને જો મેં કામ ન કર્યું હોય તો વોટ ન આપો. આજે હું જનતાને કહેવા માંગુ છું કે જો હું ઈમાનદાર હોઉં તો મને વોટ આપો, જો હું બેઈમાન હોઉં તો વોટ ન આપો.
*અંગ્રેજોએ ભગતસિંહ દ્વારા લખેલા તમામ પત્રો જેલમાંથી તેમના સાથીદારોને પણ મોકલ્યા હતા, પરંતુ મારો એક પત્ર એલજી સાહેબ સુધી ન પહોંચી શક્યો - કેજરીવાલ*
આ પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમને જેલમાં વિચારવાનો અને અભ્યાસ કરવાનો ઘણો સમય મળ્યો છે. મેં ઘણા રાજકીય, સ્વતંત્રતા ચળવળ, ગીતા, રામાયણ અને મહાભારતના પુસ્તકો વાંચ્યા છે. ભગતસિંહની જેલ ડાયરી ઘણી વખત વાંચો. 90-95 વર્ષ પહેલાં, ભગતસિંહે જેલમાં લેખો લખ્યા હતા અને જેલની બહાર તેમણે ઘણા ક્રાંતિકારી સાથીઓ અને યુવાનોને પત્રો લખ્યા હતા અને અંગ્રેજોએ તેમને પહોંચાડ્યા હતા. ભગતસિંહે યુવાનોને પત્રો લખ્યા હતા, જે એક કોન્ફરન્સમાં વાંચવામાં આવ્યા હતા. ભગતસિંહની શહાદતના 95 વર્ષ બાદ એક ક્રાંતિકારી મુખ્યમંત્રી જેલમાં ગયા. મેં 15મી ઓગસ્ટે જેલમાંથી એલજી સાહેબને આ જ પત્ર લખ્યો હતો. તે દેશનો સ્વતંત્રતા દિવસ હતો. દેશના સ્વતંત્રતા દિવસે દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હી સરકાર વતી ધ્વજ ફરકાવે છે. 15 ઓગસ્ટના ત્રણ દિવસ પહેલા મેં એલજી સાહેબને પત્ર લખીને કહ્યું હતું કે હું જેલમાં હોવાથી આતિશીને મારી જગ્યાએ ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવે. મારો એ પત્ર એલજી સાહેબને પહોંચાડવામાં આવ્યો ન હતો. પત્ર મને પરત કરવામાં આવ્યો હતો અને ચેતવણી આપવામાં આવી હતી કે જો તમે એલજી સાહેબને બીજી વખત પત્ર લખવાની હિંમત કરશો તો તમારી પારિવારિક બેઠકો બંધ કરી દેવામાં આવશે. અંગ્રેજોએ પણ વિચાર્યું ન હતું કે સ્વતંત્ર ભારતના 95 વર્ષ પછી અંગ્રેજો કરતાં વધુ ક્રૂર અને અત્યાચારી શાસક દેશ પર આવશે.
*અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીઓને પણ એક જ જેલમાં રાખ્યા, પરંતુ મને અને મનીષ સિસોદિયાને અલગ-અલગ જેલમાં રાખવામાં આવ્યા - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે બટુકેશ્વર દત્ત અને ભગત સિંહે વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હતો. બંનેને એક જ જેલમાં બાજુની સેલમાં રાખવામાં આવ્યા હતા. 17 જુલાઈ, 1930ના રોજ, ભગતસિંહે બટુકેશ્વર દત્તની બહેન પ્રમિલાને એક પત્ર લખ્યો હતો કે બટુકેશ્વરને ગઈકાલે રાત્રે બીજી કોઈ જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમની અલગતા મારા માટે અસહ્ય બની રહી છે. આજે પહેલો દિવસ છે. મારા માટે મિત્રથી છૂટા પડવાની દરેક મિનિટ બોજ બની ગઈ છે. 95 વર્ષ પછી કેજરીવાલ અને મનીષ સિસોદિયા એક જ કેસમાં જેલમાં ગયા. અમને અલગ-અલગ જેલમાં રાખવામાં આવ્યા છે અને અમને મળવા દેવામાં આવતા નથી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી, જવાહર લાલ નેહરુ, બાબા સાહેબ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, અસ્ફાક ઉલ્લા સહિતના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં ગયા અને ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા. તેના મિત્રો તેને જેલમાં મળવા આવતા હતા. તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ તેને મળવા આવતા હતા. જ્યારે તેઓ તેમને મળવા જતા ત્યારે તેઓ તેમની સાથે રાજનીતિ અને અંગ્રેજોને કેવી રીતે જડમૂળથી ઉખેડી નાખવા તે વિશે વાત કરતા હતા. એક દિવસ ડૉ.સંદીપ પાઠક મને જેલમાં મળવા આવ્યા. મેં દેશ અને પાર્ટીની રાજકીય સ્થિતિ વિશે પૂછ્યું. આ પછી સંદીપ પાઠકને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો અને મને મળવા દેવાયા નહોતા. ફાંસી પર લટકેલા ભગતસિંહે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે એક દિવસ ભારત આવો હશે, આજથી 95 વર્ષ પછી ભારતમાં એક ક્રૂર અને અત્યાચારી સરકાર આવશે જે અંગ્રેજોને પણ પાછળ છોડી દેશે.
*જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રોનો સામનો કરવાની તાકાત છે- કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ એ પણ જાણે છે કે કેજરીવાલે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. પરંતુ તેઓએ મને જેલમાં કેમ મોકલ્યો? મને જેલમાં મોકલવા પાછળનો તેમનો હેતુ આમ આદમી પાર્ટી અને કેજરીવાલનું મનોબળ તોડવાનો હતો. તેણે એક ફોર્મ્યુલા બનાવી છે. આખો દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે ધારાસભ્યોને તોડવામાં આવે છે અને ખરીદવામાં આવે છે. તેઓ ED-CBI મોકલીને અમને ડરાવી રહ્યા છે. બનાવટી કેસ કરીને તેને જેલમાં ધકેલી દો. સરકારોને પાડીને પોતાની સરકાર બનાવો. તેમણે મહારાષ્ટ્રમાં બે રાષ્ટ્રીય પક્ષો તોડી નાખ્યા. તેમને લાગતું હતું કે જો તેઓ કેજરીવાલને જેલમાં મોકલશે તો દિલ્હીમાં AAP તૂટી જશે અને ભાજપ સરકાર બનાવશે. એ જ રીતે પંજાબમાં પણ તેઓ AAPના ધારાસભ્યોને હટાવીને પોતાની સરકાર બનાવવા માંગતા હતા. પરંતુ અમારો પક્ષ ન તૂટ્યો, અમારા ધારાસભ્યને તો છોડો, એક કાર્યકર પણ તૂટ્યો નથી. જનતાના આશીર્વાદથી આમ આદમી પાર્ટીમાં તેમના મોટા ષડયંત્રોનો સામનો કરવાની તાકાત છે. મેં જેલમાં જેટલો સમય પસાર કર્યો તેનાથી મારી હિંમત 100 ગણી વધી ગઈ છે.
*અમે સાબિત કર્યું છે કે જેલમાંથી સરકાર ચલાવી શકાય છે - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો પૂછે છે કે કેજરીવાલે જેલમાં ગયા પછી રાજીનામું કેમ ન આપ્યું? મેં રાજીનામું આપ્યું નથી કારણ કે હું દેશની લોકશાહી બચાવવા માંગતો હતો. ધારાસભ્યોને ખરીદવા, પક્ષો તોડવા અને તેમને ડરાવવા ઉપરાંત બીજી એક ફોર્મ્યુલા બનાવી છે કે જ્યાં પણ આ લોકો ચૂંટણી હારે ત્યાં મુખ્યમંત્રીઓની સામે ખોટા કેસ કરીને ધરપકડ કરી સરકારને પાડી દે. તેણે હમણાં જ સીતા રામૈયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, પિનરાઈ વિજયન અને મમતા બેનર્જી વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. આ લોકો વિરોધ પક્ષના એક પણ નેતાને છોડતા નથી. તેઓ દરેકને પકડીને જેલમાં ધકેલી દે છે અને તેમની સરકારને ઉથલાવી દે છે. 10 દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે સરકાર જેલની અંદરથી કેમ ચાલી શકતી નથી? મેં સાબિત કર્યું કે જેલમાંથી સરકાર ચલાવી શકાય છે.
*બિન-ભાજપ મુખ્યમંત્રીઓને અપીલ, જો તેઓ તેમને ખોટા કેસમાં જેલમાં મોકલે તો રાજીનામું ન આપો - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે હું હાથ જોડીને દેશના તમામ બિન-ભાજપ મુખ્યમંત્રીઓને વિનંતી કરવા માંગુ છું કે જો વડાપ્રધાન તમારી સામે ખોટો કેસ દાખલ કરે અને તમને જેલમાં ધકેલી દે તો રાજીનામું ન આપો. જેલમાંથી સરકાર ચલાવો. એવું નથી કે આપણે પદના લોભી છીએ. મુખ્યમંત્રી પદ અમારા માટે મહત્વનું નથી. રાજીનામું ન આપો કારણ કે આપણું બંધારણ, દેશ અને લોકશાહી આપણા માટે મહત્વપૂર્ણ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં એક સરકાર છે જે આટલી મોટી બહુમતીથી જીતી છે. એકવાર AAPને 70માંથી 67 બેઠકો મળી હતી અને એકવાર તેને 70માંથી 62 બેઠકો મળી હતી. આમ છતાં તમે તેમને પકડીને જેલમાં ધકેલી દેશો અને રાજીનામું આપવાનું કહેશો. તેમની આ નવી ફોર્મ્યુલા પણ આમ આદમી પાર્ટીએ નિષ્ફળ કરી હતી. આજે આમ આદમી પાર્ટી પાસે તેમના તમામ ષડયંત્રોનો પર્દાફાશ કરવાની શક્તિ છે. કારણ કે આપણે પ્રમાણિક છીએ.
*તમામ મફત સુવિધાઓ આપવા છતાં દિલ્હી સરકાર નફામાં છે, જ્યારે અન્ય રાજ્યો નુકસાનમાં છે - કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર બની તે પહેલા દિલ્હીમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. ગરીબોના બાળકોનું કોઈ ભવિષ્ય ન હતું. દિલ્હીની જર્જરિત શાળાઓમાં 16 લાખ બાળકો અભ્યાસ કરતા હતા. શાળાઓમાં અભ્યાસ નહોતો થતો. છેલ્લા 10 વર્ષમાં અમે ઉત્તમ સરકારી શાળાઓ બનાવીને 18 લાખ બાળકોને સારું ભવિષ્ય આપ્યું છે. અમે આ કરી શક્યા કારણ કે અમે પ્રમાણિક છીએ. કોઈના ઘરમાં કોઈ બીમાર પડે અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. અમે દિલ્હીની દરેક સરકારી શાળાને ઉત્તમ બનાવી અને દરેક ગલીમાં નવી સરકારી હોસ્પિટલો, મોહલ્લા ક્લિનિક ખોલ્યા અને સમાજના દરેક વર્ગ માટે સંપૂર્ણ સારવાર મફત કરી. દિલ્હીમાં મહિલાઓને બસમાં મુસાફરી કરવા માટે ટિકિટ આપવામાં આવતી નથી. બાકીની રાજ્ય સરકારો ખોટમાં ચાલી રહી છે. તમામ સુવિધાઓ આપ્યા બાદ પણ માત્ર દિલ્હી સરકાર જ નફામાં ચાલી રહી છે. આજે દિલ્હીમાં 24 કલાક વધુ મફત વીજળી ઉપલબ્ધ છે. સમગ્ર દિલ્હીમાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી રહી છે, વૃદ્ધોને યાત્રા પર લઈ જવામાં આવી રહ્યા છે. છેલ્લા 75 વર્ષમાં કાચી વસાહતોમાં અને શેરીઓ છેલ્લા 10 વર્ષમાં જેટલા રસ્તાઓ બનાવવામાં આવ્યા તેટલા 75 વર્ષમાં પણ બન્યા નથી. 75 વર્ષમાં જેટલી પાણીની પાઈપલાઈન નાખવામાં આવી નથી એટલી અમે 10 વર્ષમાં નાખી. અમે આ બધું એટલા માટે કરી શક્યા કારણ કે અમે પ્રમાણિક છીએ.
*મેં મારા જીવનમાં સન્માન અને ઈમાનદારી સિવાય કંઈ કમાવ્યું નથી- કેજરીવાલ*
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો અમારી ઈમાનદારીથી ડરે છે. આ લોકો અપ્રમાણિક છે, તેથી જ તેઓ મફત વીજળી આપી શકતા નથી. ઘણા રાજ્યોમાં, તેમની સરકારો 15-30 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેઓ શાળાઓ અને હોસ્પિટલોમાં સુધારો કરી શક્યા નથી. તેઓ સારી સારવાર આપી શક્યા ન હતા. કારણ કે આ લોકો અપ્રમાણિક છે. તેઓએ ED-CBI, દિલ્હી પોલીસને અમારા પર છોડી દીધા અને ઘણા કેસ દાખલ કર્યા. આ પછી પણ, અમે તેમની સામે મક્કમતાથી ઊભા છીએ અને વિનંતી કરીએ છીએ કારણ કે અમે પ્રમાણિક છીએ. એટલા માટે આ લોકો મને બેઈમાન સાબિત કરવા માંગે છે. તેઓ મારા પર કાદવ ઉછાળી રહ્યા છે, મને બદનામ કરી રહ્યા છે, મને સવાર-સાંજ અપશબ્દો બોલી રહ્યા છે, પરંતુ મારા માટે ભાજપ મહત્વપૂર્ણ નથી, હકીકતમાં મારા માટે દેશની જનતા મહત્વપૂર્ણ છે. જો દિલ્હીના લોકોને લાગે છે કે કેજરીવાલ બેઈમાન છે તો હું એક મિનિટ પણ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું. મેં મારા જીવનમાં કંઈ કમાવ્યું નથી, મારું અને મારા પક્ષનું બેંક ખાતું ખાલી છે. મેં જીવનમાં સન્માન અને પ્રામાણિકતા સિવાય કશું કમાવ્યું નથી.
*આમ આદમી પાર્ટી ગુજરાત*
આજે અંબિકા યુવક મંડળ કાંટ દ્વારા આયોજિત સેવા કેમ્પમાં માં અંબાજી ની આરતી ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું..
*અંત સુધી ધ્યાનથી વાંચો!*
● જીવનનું વાસ્તવિક સત્ય ●
*45000 કરોડ ની સંપત્તિ ધરાવનારા શેરબજારના કિંગ ગણાતા રાકેશ ઝૂંનઝુંનવાલાનું અવસાન થતાં પહેલાંના અંતિમ શબ્દો:*
*હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું. મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે. જોકે, કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી. પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું.*
*આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જીંદગીને યાદ કરીને, મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે.*
*તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો. પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે રાખી શકતા નથી.*
*ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે. પણ એક વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી - "જીવન".*
*આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ, સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે.*
*તમારા પરિવાર, જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો... તેમની સાથે સરસ વ્યવહાર કરો, તેમની સાથે છેતરપિંડી ન કરો, બેઈમાન ન કરો.*
*જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ, આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે R300 અથવા R3000 અથવા R2- 4lacની કિંમતની ઘડિયાળ પહેરવાથી - બધું એક જ સમયે ચૂકવે છે.*
*આપણી પાસે 100નું પર્સ હોય કે 500નું - અંદર બધુ સરખું જ હોય છે.*
*ભલે આપણે 5Lacks ની કાર ચલાવીએ કે 50Lacks ની કાર ચલાવીએ. રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ.*
*આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂટનું હોય કે 3000 ચોરસ ફૂટનું - એકલતા સમાન છે.*
*તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી.*
*તમે ફર્સ્ટ ક્લાસ કે ઈકોનોમી ક્લાસમાં ફ્લાઈટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જવાના*
*એટલે જ.. હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે, તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે, જેમની સાથે તમે ગપસપ કરો છો, હસો છો, ગાઓ છો, સુખઃ અને દુઃખ ની વાત કરો છો,.... આ જ સાચી ખુશી છે !!*
*જીવનની એક નિર્વિવાદ હકીકત:*
*તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો. તેમને ખુશ રહેવાનું શીખવો. જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની Cost નહી Value ની ખબર પડશે.*
*જીવન શું છે❓*
*જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે:*
*- હોસ્પિટલ*
*- જેલ*
*-સ્મશાન*
*હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી.*
*જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે.*
*સ્મશાનગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ નથી.*
*આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય.*
*ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ.*
महिला सुरक्षा पर प्रधानमंत्री मोदी काम नहीं, सिर्फ़ जुमलेबाज़ी करते हैं👇
मंत्री को गिरफ़्तार करने और उसके इस्तीफ़ा देने से सरकार पर कोई ख़तरा नहीं आता है। लेकिन अगर मुख्यमंत्री इस्तीफ़ा देता है तो सरकार गिर जाती है।
BJP की केंद्र सरकार जी को गिरफ़्तार करके राज्य सरकार गिराना चाहती थी और उनकी इसी साज़िश को नाकाम करने के लिए CM साहब ने इस्तीफ़ा नहीं दिया।
दिल्ली में लोकतंत्र की हत्या की गई‼️♦️ केंद्र सरकार ने अध्यादेश लाकर दिल्ली की चुनी हुई सरकार के सभी अधिकारी छीनकर लोकतंत्र की हत्या की है
♦️ दिल्ली में अधिकारी परेशान हैं। जो काम करना चाहते हैं, उन्हें केंद्र सरकार प्रताड़ित करती है
♦️ केंद्र सरकार विपक्षी राज्यों में राज्यपाल की नियुक्ति सरकार के काम रोकने के लिए कर रही है
♦️ देश में जहां भी विपक्षी पार्टियों की सरकार है, वहां राज्यपाल और सरकार के बीच झगड़े हो रहे हैं
ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે... તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...
પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....
ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ...
આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...
એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "
ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા ધક્કો મારે... , *એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."*
પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."
જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત.."
આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
*હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "*
*સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...*
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાયે... આ જ પુણ્ય અને પાપ છે...
*આ જ ધર્મ છે...*
*આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....*
નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...
*જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે ...* કોઈ નો યશ ચોરી લેવો... કોઈ ની સફળતા પોતા ને નામ કરવી .. બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયા નો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે ...કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે ...
*આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ હુ ધપાવીએ ...*🙏
બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ .....🙏🏻👍
રિપોર્ટરટેડ જાજમેન્ટ...
દિલ્હીના માન.પૂર્વ.ના.મુખ્યમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી જેલમાંથી 17 માસ બાદ ફરી દિલ્હીની જનતા વચ્ચે પોહચ્યા..
આજે કેસર બેનના. હત્યારાઓને તત્કાળ પકડવા પાટણ sp અને કલેકટર શ્રી ને આવેદન પત્ર આપ્યું તેની થોડીક ઝલક..
નેશનલ હાઇવે પર વાહન ચલાવતા વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યની માહિતી.
ટોલ ની રસીદ ની કિંમત સમજી ને વાપરો.
ટોલ બૂથ પર મળતી આ રસીદમાં શું છુપાયેલું છે અને તેને કેમ સુરક્ષિત રાખવા જોઈએ?
શું છે વધારાના ફાયદા? " ચાલો આજે જાણીએ.
1. ટોલ રોડ પર મુસાફરી કરતી વખતે જો તમારી કાર અચાનક બંધ થઈ જાય તો તમારી કારને ટોઇંગ અને લઈ જવાની જવાબદારી ટોલ કંપની છે.
૨. એક્સપ્રેસ હાઇવે પર તમારી કારનું પેટ્રોલ અથવા બેટરી પૂરી થઈ જાય તો ટોલ કલેક્શન કંપની તમારી કારને બદલીને પેટ્રોલ અને એક્ટીરીયર ચાર્જિંગ પ્રદાન કરવા માટે જવાબદાર છે તમારે 1033 પર કોલ કરવો જોઈએ. દસ મિનિટમાં મદદ કરશે અને 5 થી 10 લીટર પેટ્રોલ ફ્રી મળશે. કાર પંચર થઈ જાય તો પણ મદદ માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો.
૩. જો તમારી કાર અકસ્માતમાં હોય તો પણ તમે અથવા તમારી સાથે આવતા કોઈ વ્યક્તિ ટોલ રસીદ પર આપેલ ફોન નંબરનો સંપર્ક કરવો જોઈએ.
૪. કારમાં મુસાફરી કરતી વખતે અચાનક કોઈ બીમાર પડે તો તેને તરત હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી શકે છે. આવા સમય માં એમ્બ્યુલન્સ તમારા સુધી પહોચાડવા ની જવાબદારી ટોલ કંપનીઓ ની છે.
જે લોકોને આ માહિતી મળી હોય તે વધુ માં વધુ લોકો સુધી પહોંચાડો.
Forwarded as received 🙏
આજે નાભાણી ગ્રૂપના નવા સાહસનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ..
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Website
Address
Palanpur
Palanpur
Palanpur Vidhansabha Sangathn Mantri. Aap Ex, Social Media Convener AAP Palanpur.
Palanpur
સંગઠન મંત્રી: આંજણા યુવક મંડળ ગુજરાત મંત્રી: અર્બુદા સેના બનાસકાંઠા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મેમ્બર