SwaminarayanCommunty
Nearby public figures
Prahladnagar
382330
Satelite, Satelite
Ahmedabad
Lal Bahadur Shastri Road Amraiwidi Ahmedabad City Gujarat Pin
382449
382345
380060
Padana
Swimminarayan-Community
(178) મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વરત્યા કરે ને દેહમાં તો સુખ-દુ:ખ આવે. તેનો તો નિરધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દહાડે-દહાડે વધતો જાય એમ વરતે ત્યારે એમ જાણવું જે, મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂક્યા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દૃષ્ટિ રહ્યા કરે. ને એક તો સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આ જન્મે થાય ને આ જન્મે એકાંતિક થાવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દૃષ્ટાંત, જેમ દશ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે (ડૂબાડે) ને દશ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે.
(વચ.લો. 6)
(177) ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા.
(176) આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષય સુખ છે, એમાં તે શું અધિક છે ? સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો ક્યાંય નથી ને આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં ને બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે.
(175) સભાની વાત બહુધા લાગે નહિ, એ તો એકાંતમાં પૂછવું-સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે સમાગમ કર્યો કહેવાય, તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઊતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે.
(174) ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા ને ઉપાસના તેની વાતું કરે છે કોણ ને સાંભળે છે કોણ ? પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું; પણ મુખ્ય તો એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિપ્રલયમાં સર્વ નાશ પામી જાશે.
(173) ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ. ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી એ કોઈ રીતે ન જિતાય; કેમ જે, એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહિ; પણ તે એક ઉપાયે જિતાય જે, એની આગળ દીન થાવું ને હાથ જોડવા; એવો બીજો કોઈ ઉપાય નથી.
(172) ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા, તે બરાબર કોઈ સાધન નથી; તે ‘વચનામૃત’માં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું તથા ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું. તે આત્યંતિકપ્રલય જે, જ્ઞાનપ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિકપ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય.
(171) ઉપાસના સમજવી જે, કોટાનકોટિ ભગવાનના અવતાર જે, શ્રીકૃષ્ણ, રામચંદ્રજી, વાસુદેવ, નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ શ્રીજીમહારાજ છે. ને પૂર્વે અવતાર થઈ ગયા એવા તો આજ સત્સંગી ને સાધુ છે; પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી. ને શ્રીકૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો ને આજ તો વીસ-વીસ વરસના સંસાર મૂકીને ચાલ્યા આવે છે. ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઈ ત્યાગી થઈ સાંભળી નથી ને આજ તો હજારો બાઈઓ ત્યાગી થાય છે. ને પૂર્વે ભગવાન બે-ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે. ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણિ જેવા છે ને પુરુષોત્તમ તો ચિંતામણિ છે.
(170) વરતાલમાં કથા થઈ તે ફેરે (વખતે) ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કરી ને કરાવી. એવી રીતનો અભ્યાસ કરવા-સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે મારગે ચલાય, પણ તે વિના થાય નહીં.
(169) અંતર્દૃષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણ-દોષ યથાર્થ ન સૂઝે, ને અંતર્દૃષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્યદૃષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્યદૃષ્ટિ દૈત્યની કહી છે ને અંતર્દૃષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય છે ને જેમ ચકમક ખરે તે ખેરવતાં દેવતા કળીમાં લાગી જાય છે એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય, એ સિદ્ધાંત વાત છે.
(168) પ્રથમ કાંઈ નહોતું ને આટલાં કારખાનાં થયાં ને હજી થાય છે ને વળી થાશે, એ તો વધતું જ જાશે, પણ મુખ્ય તો કથાવાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ, એ જ કરવાનું છે.
(167) મૂંઝવણ ટાળ્યાનો ઉપાય જે, કાળની ગતિ જાણવી, જન્મ-મૃત્યુનું દુ:ખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો. વળી, આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી. વળી, આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે, એમ જ્ઞાનીને તો અનંત લોચન છે ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે ને મૂંઝવણ અનેક પ્રકારની છે.
(165) વળી, એટલું તો એમ સમજવું જે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંધી શા સારુ (શા માટે) કરે ? માટે એમાં તો સુખ જ નથી, ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે, ને મોટા મોટા એ મારગે ચાલતા નથી.
(164) ‘જ્ઞાન વિના તો સુખ ન થાય ને ભક્તિ કરે તેને મોટા હોય તે હાર આપે કે થાળ આપે; પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઈએ ખરી.’ એમ વાત કરી.
(163) સુખમાં દુ:ખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું ? જે, રસોઈઓ તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવાં છે ને તેમાં સુખ દેખાય છે, પણ સુખ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહીં.
(162) અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આ લોકમાં એકાંતિક પાસે એ ચાર ઠેકાણે માયા નથી ને કજિયો નથી, બાકી સર્વે ઠેકાણે માયા ને કજિયો છે.
(161) જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી.
(વચ.ગ.અં. 22)
(160) એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે ને એક તો તે કોટમાં એક કાંકરી નાખે તે પડી જાય, એ બેમાં અંતે ચણનારો થાકશે. તેનું સિદ્ધાંત જે, આખો દિવસ વહેવાર કરે ને એક ઘડી સત્પુરુષની વાતું સાંભળે તો તેથી સર્વે ખોટું થઈ જાય. (જુઓ પ્રકરણ 4ની વાત 4)
(159) આપણને તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે પણ આપણને સમજાતું નથી. તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારુ રોવે તેમ જ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે, પણ આ લોકનાં અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારુ દિલગીર થાવાય, તેને આ વાત સમજાતી નથી.
(158) પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય. તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ.
(157) સત્સંગમાંથી પડાય નહિ તે વાત શ્રીજીમહારાજે કહી હતી જે, ‘સર્વે સાધુ, સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ઓછા ઓછા કહેતાં છેલ્લી વારે કહે; બે સારા સાધુ તથા ચાર સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.’
(156) શ્રીજીમહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વરતાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યાં, તેનો વિચાર કરવો; ને તેમાંથી મુમુક્ષુને કેટલુંક ગ્રહણ કરવાનું છે. તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન્ય કરવામાં ને કીર્તનમાં થાકવું નહિ; ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન જે દંડવત્ કરવા, ને ગાડે ન બેસવું એ આદિક પંચવિષયનું ખંડન અનેક પ્રકારે ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન, એ સર્વેનો તપાસ કરવો ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ; એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વરતવું.
બદાજ હરિ ભક્તો ને જય શ્રી સ્વામિનારાયણ 🙏
(155) શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ‘આપત્કાળ આવે તો લીલા ખડને દંડવત્ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ.’
154) લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણેયમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી જે, ‘પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે ને હૈયામાં સુખ ન રહે; તેમ જ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું ને વટલે તે ત્રણેયમાં ન મળતું; એમ તપાસ કરવો તે વેદ પ્રમાણે વાત છે.’
153) ગમે એવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહિ, એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય.
152) જીવ કર્મવશ થઈને દુ:ખનું સહન કરે, એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે; તે જો વીછીં કરડ્યો હોય તો આખી રાત જાગે. એ અનુસારે ઘણી વાતું છે.
(166) સત્સંગમાં અનેક વાતું સમજવાની છે; તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને ‘વચનામૃત’ આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો.
(151) ગાડે ન બેસવું તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા.
(150) ગાય છે તે વાછરાંની (વાછરડાંની) મા કહેવાય, પણ વાછરડાંને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે, પણ બીજા અંગમાં ન આવે. તેમ ભક્તિ તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે.
(149) માન-અપમાનમાં પોતાને અક્ષર માનવું જે, આપણાથી કોઈ મોટો નથી, માટે કેની પાસે માન-અપમાન માનવું ?
(148) ‘જળ, અગ્નિ ને વાયુ એ સર્વેને હાથ-પગ છે, પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે.’ એમ મહારાજે કહ્યું છે.
(147) દ્રવ્ય ને આ દેહ એ બે ઉપર સર્વે વહેવાર છે, એ બેને ખોટું ખોટું કહીએ છીએ, તે ખોટું કેમ થાય ? એમ કહીને વળી કહે જે, ‘છે તો એમ જ જે, દ્રવ્ય ને આ દેહ એ બેય ખોટાં છે ને વારંવાર એવા શબ્દને સાંભળવા તેણે કરીને અરધું તો ખોટું થઈ જાય. પછી તેને ધક્કો ન લાગે. ને ખોટું કહીએ છીએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઈએ છીએ, તે પણ ખોટું જ છે.’
(146) આપણા પૂર્વના દેહનાં હાડકાં આપણી આગળ પડ્યાં હોય, પણ તેની આપણને ખબર ન પડે.
(145) કદાપિ માળા ફેરવતાં આવડી તેણે કરીને શું થયું ? પણ જ્ઞાન જેવો તો કોઈ માલ જ નથી ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે.
(144) આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે.
(143) દેહ પડી ગયો એટલે શું થયું ? પણ જીવ ક્યાં મરે છે ? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા, એ કરવાનું છે; પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Address
Ahmedabad
Dental Implant Laser Cosmetic Centre, B-203, One World Capital, Above Cafe Lollo Rosso, Near Pandit Dindayal Auditorium, Rajpath Rangoli Road, Bodakdev
Ahmedabad, 380054
WE ARE DENTIST IN AHMEDABAD HAVING EXPERIENCE OF MORE THAN 20 YEARS IN ALL DENTAL TREATMENTS PRESIDENT- GUJARAT STATE DENTAL COUNCIL, INDIA PRESIDENT - INDIAN DENTAL ASSOICIATION,...
Ahmedabad, 380015
Hello... to all Facebook members, this page is created for all those vicky patel's friends... Have Fun !!!
G-110 Titanium City Center
Ahmedabad, 380015
Smit Shah, a young and dynamic personality is a Hacker by profession and an Entrepreneur by heart. As a Co-founder & CEO of eSecurify, he is securing 72+ Indian Co-operative Banks ...
🇮🇳📍
Ahmedabad
� 𝐎𝐟𝐟𝐢𝐂𝐢𝐚𝐋 𝐀𝐜𝐂𝐨𝐮𝐍𝐓 � �𝟏𝟖 𝐓𝐞𝐞𝐍 �𝐃𝐨𝐍𝐭 𝐓𝐫𝐔𝐬𝐓 𝐚𝐧𝐘𝐨𝐧𝐞 �𝐌𝐌𝐚 𝐏𝐩𝐚. �𝐒𝐞𝐋𝐅 𝐁𝐥𝐢𝐄𝐯𝐄𝐫