Kiritbhai Parmar
હું કિરીટ પરમાર ચાંદખેડા ના વિકાસ માટ?
આજે આભડછેટ મુક્ત ભારત અભિયાન અંતર્ગત આયોજિત આભડછેટ નાબુદી યાત્રામાં આશરે 400 થી 500 માનવ મહેરામણ અને સમાનતા ની હાકલ કરતો 1111 કિલો વજન ધરાવતો પિત્તળ નો સિક્કા નું યાત્રા ના રૂટ મુજબ ચાંદખેડામાં આગમન થયું હોવાથી ચાંદખેડા ના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યાત્રા નું અભિવાદન કરવામાં આવ્યું તથા સાથે સાથે બાબા સાહેબ ની 12 ફૂટ ની પ્રતિમા ને ફુલહાર કરી અભિવાદન સાથે દરેક જણે યથાશક્તિ ફાળો આપી પ્રણ લીધો કે અમે આભડછેટ મુક્ત ભારત બનાવીને જ જંપીશું...!
"સર્વજન ના સન્માન માં, BSP મેદાન માં"
💙🐘💙🐘💙🐘💙🐘💙🐘💙
💙
આદિવાસી જનનાયક બિરસા મુંડા ની જન્મજયંતી નિમિત્તે તેઓને શત શત નમન…
પરંતુ આજે જ્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં રહેતા આદિવાસીઓને ન્યાય ન મળી શકતો હોય અને અદિવાસીઓનીજ જમીનો હડપી લેવામાં આવટી હોય ત્યારે વર્તમાન સરકાર અને વિરોધ નું પીપુડી લઈ ફરતો અને વિરોધ કરવાની એક્ટિંગ કરતો વિરોધ પક્ષ જ્યારે બિરસા મુંડા ને જન્મજયંતિ ની શુભેચ્છા પાઠવે એ સાવ પોકળ સાબિત થાય છે.
સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુ પરિયોજના અંતર્ગત નવાગામ,કેવડિયા,ગોરા,લીંબડી,વાઘડિયા, અને કાઠી ગામ ના 8000 લોકો ની જમીનો પડાવી લઈ અને એ જ જમીન ઉપર પર્યટન સ્થળો,ભવ્ય ઓડિટોરિયમો,સ્ટેટ હાઉસો,ફૂડ પ્લાજા નું નિર્માણ થતું હોય અને પાછું સરકાર દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવતું હોય કે આદિવાસીઓ એ અહીં નોકરી આપવામાં આવશે. આ તો એવી વાત થયી કે અમારી જમીન હડપી ને અમારી જમીન પર તમારી કમ્પની ઉભી કરી ને અમોને મજૂર બનાવવા.
આદિવાસી સમાજ માં ફરીથી લાખો યુવાઓ બિરસા મુંડા બની બહાર આવે અને પોતાનો જળ,જંગલ અને જમીન નો હક છિનવાતો અટકાય હવે એજ આશા છે…
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં.
વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.
તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.
આજે 31 ઓક્ટોબર ના રોજ તેઓની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબ ને શત શત નમન...
એક સમય હતો કે જેમના વગર ગુજરાતી ફિલ્મ ની કલ્પના પણ નહોતી કરી શકાતી એવા ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર અભિનેતા નરેશ કનોડીયા ના નિધન ઉપર ભાવપૂર્ણ શ્રધાંજલિ 🙏🙏🙏
પહેલા એમના મોટા ભાઈ મહેશ કનોડીયા અને હવે નરેશ કનોડીયા ના નિધન થી ગુજરાતી ફિલ્મ જગત ને મોટી ખોટ પડી છે. એમના પરિવાર ઉપર આવેલ દુઃખદ સમય માં કુદરત એમને શક્તિ પ્રદાન કરે એવી અભ્યર્થના.
🔵ચાંદખેડા માં સ્નેહપલાજા ખાતે કરિશ્મા એવન્યુ ની સામે રોડ ઉપર બે ગટરો કે જે રોડ ના લેવલ થી નીચે ખાડા માં હોવાથી રસ્તા પર અવરજવર કરનાર રાહદારીઓ અને વાહનચાલકો ને ખૂબ તકલીફ પડતી હોવાથી તા.20/10/2010 ના રોજ સાંજે 07.10 કલાકે મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી અને તેનું નિવારણ બીજા જ દિવસે તે ગટર ને ઊંચી ક્રિરોડ ના લેવલ માં લાવી કરવામાં આવ્યું.
🔵ચાંદખેડા ની જનતા ને રોડ,રસ્તા,ગટર કે પાણી અથવા કોઈ પણ પ્રકાર ની તકલીફ હોય તો મને નીચેના નમ્બર પર વ્હોટ્સપ કરવા વિનંતી.
🔴વ્હોટ્સપ નમ્બર:- +91 79841 33006
🔵આપની દરેક સમસ્યાનું નિવારણ કરી આપવામાં આવશે.
🔴અશોક વિજયા દશમીના દિવસ નિમિત્તે હું કિરીટ પરમાર મારા પરીવાર વતી સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
🔵વિશ્વના મહાન સમ્રાટ અશોક મહાન બૌદ્ધ ધર્મનું પુનરુતથાન કર્યું છે. એમણે કલિંગના યુદ્ધમાં વિજય તો મેળવ્યો પણ બૌદ્ધ ભિકખુના ઉપદેશથી ખૂનખરાબા, બરબાદી અને નરસંહાર થકી એમનું મન અને જીવન અભિગમ બદલાઈ ગયો. સમ્રાટ અશોક દશેરાના દિવસે બૌદ્ધ ધર્મનો અગીંકાર કર્યો. અને બાકીનું શેષ જીવન બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારમાં વિતાવ્યું. એમણે દશેરાના દિવસે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હોવાથી દશેરાને આજે અશોક વિજયા દશમી કહે છે.
🔴આજે "અશોક સ્તંભ", અને અશોક ચક્ર "ને ભારતીય ચલણી નોટોમાં, સરકારી પત્ર વ્યવહારોમાં, ભારતીય રાષ્ટ્રધ્વજ અને સુરક્ષા અધિકારીઓને ખંભે શોભતો જોઈએ છીએ એ સમ્રાટ અશોકની મહાન સુશાસન અને અસાધારણ સિદ્ધિઓનું સ્મૃતિનું પ્રતીક છે. સાચી રીતે જોઈએ તો સમ્રાટ અશોકે જે સ્તંભ અને ચક્રનું જે નિર્માણ કર્યું અને આપણે તેને અશોક સ્તંભ અને અશોક ચક્ર તરીકે મોટાભાગે ઓળખીએ છીએ. પણ હકીકતે ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશની ઐતિહાસિક સ્મૃતિને અમરત્વ અપાવવા સમ્રાટ અશોકે તેનું નિર્માણ કર્યું છે. પણ સાચા અર્થમાં તે બૌદ્ધ ધર્મના ગૌરવ, ગરિમા, પ્રતિષ્ઠાનું પ્રતીક છે.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Ahmedabad
382424
Ahmedabad
Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).
Ahmedabad
BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel
Ahmedabad
Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.
Bapunagar
Ahmedabad, 380024
M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.
Ahmedabad, 380007
BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f