Gyasuddin Shaikh
MLA - 51, Dariapur Assembly Ahmedabad ( Gujarat ) 2007-2022
Indian National Congress Gyasuddin Habibuddin Shaikh INC's MLA from Dariapur.2007-2022
अखिल भारतीय राष्ट्रीय कांग्रेस की पूर्व अध्यक्षा श्रीमती सोनिया गाँधी जी को कांग्रेस संसदीय दल का नेता चुने जाने पर ढेरों बधाई एवं शुभकामनाएं।
उनके विशाल अनुभव व कुशल नेतृत्व का लाभ निश्चय ही कांग्रेस पार्टी को मिलता रहेगा। Indian National Congress Indian National Congress - Gujarat Mallikarjun Kharge Rahul Gandhi Priyanka Gandhi Vadra Mukul Wasnik Shaktisinh Gohil Ramkishan Ojha Amit Chavda
🙏
Thank you India
સત્યમેવ જયતે ગુજરાત
ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા મો.: ૯૩૨૭૪૨૬૦૧૭
ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય, ૫૧-દરિયાપુર મો.: 9824079848
મો. જાવેદ પીરઝાદા પૂર્વ ધારાસભ્ય, વાંકાનેર મો.: ૯૮૨૫૦૯૨૬૪૭
પ્રતિ, શ્રી વિકાસ સહાય સાહેબ પોલીસ વડાશ્રી ગુજરાત રાજય ગાંધીનગર.
તા. ૩-૬-૨૦૨૪
બાબત : આગામી ઈદુલ અઝા ના તહેવારના અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ- પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હુકમ કરવા વિનંતી
મહેરબાન સાહેબશ્રી,
ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદા રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે આગામી તા. 16/6/24 થી તા. 19/6/24 સુધી ઈદુલ અઝા નો ધાર્મિક તહેવાર સંવૈધાનિક અધિકાર મુજબ પરંપરાગત રીતે ઉજવી શકે માટે ગાય કે ગૌવંશ સિવાયના નિયમોનુસાર કાયદા દ્વારા પ્રમાણિત પશુઓની હેરફેર કરનાર વ્યક્તિઓ ની ગેરબંધારણીય રીતે કટ્ટરવાદી સંગઠનો દ્વારા કનડગત તથા હેરાનગતિ ના થાય માટે ન્યાયિક આદેશ કરવા આપશ્રીને અમારી નમ્ર વિનંતી છે.
ગાય તથા ગૌવંશ સિવાયના ફકત કાયદા મુજબના નિયમોનુસાર પશુ ખરીદીની રેવન્યુ સ્ટેમ્પ ધરાવતી રીસીપ્ટ અને પશુ હેરફેર કરવાની કાયદાથી નિર્દિષ્ટ આર.ટી.ઓ. પરમીટ ધરાવતા વાહનોમાં ખરીદીના પુરાવા સાથે પરમીટમાં જણાવેલ સંખ્યા જેટલા પશુઓ માટે થાસ-પાણીની વ્યવસ્થા સાથે હેરફેર કરનાર વ્યક્તિની કડગત ના થાય તેની કાળજીને લક્ષમાં રાખી આપના દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા રાજયની તમામ સરહદી ચેકપોસ્ટ સહિત રાજ્યના પોલીસ વડા તરીકે પરિપત્ર બહાર પાડી રાજયના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, પોલીસ અધિક્ષકશ્રીઓ, રેન્જ વડાથીઓ અને રાજ્યના પોલીસ સ્ટેશનોને ફેક્સ, ઈમેલ તથા વાયરલેસ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે તેવી આગ્રહભરી વિનંતી છે.
ઇમરાન ખેડાવાળા ધારાસભ્યશ્રી
ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્યશ્રી
મોહંમદ જાવેદ પીરઝાદા પૂર્વ ધારાસભ્યશ્રી
આજ તારીખ : ૦૨-૦૬-૨૪ રવિવારના રોજ અખિલ કચ્છ મુસ્લિમ મંઘરા સમાજ દ્વારા આયોજિત જશને સમૂહ શાદીના પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેતા જમાલપુર ખાડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલા, દરિયાપુર વિધાનસભાના માજી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વાંકાનેરના માજી. ધારાસભ્ય જાવેદ પીરજાદા, તથા હાજી જુમ્મા ભાઈ ( રાયમા ), સમુહ શાદી ના આયેજક ઈકબાલ મંધરા સમુહ મુસલિમ એકતા મંચ ના ઈમ્તિયાઝ પઠાણ, આદમ ચાકી સલીમ જત મોહમ્મદ જત હનીફ પઢીયાર દાઉદ બોલિાયા શકીલ શમા સહિત ના આગેવાનેા એ હાજરી આપી, દુલ્હા - દુલ્હનોને મુબારકબાદી આપી નવી જિંદગીની સફળ શરુઆત થાય માટે શુભકામનાઓ પાઠવી હતી
રાજકોટ ખાતે ગેમઝોનમાં ફાટી નીકળેલી વિકરાળ આગમાં 24 થી વધુ નિર્દોષ બાળકોના મોતના સમાચાર આંખો ભીની કરનાર દુઃખદ છે.ઘટનામાં ઇજાગ્રસ્ત સૌ પ્રથમ કોઈને યોગ્ય સારવાર મળે એવી વ્યવસ્થા કરવા હું વહીવટી તંત્રને અપીલ કરુ છુ. આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને પ્રભુ શાંતિ આપે એજ પ્રાર્થના...
ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા મો.: ૯૩૨૭૪૨૬૦૧૭
પ્રતિશ્રી,
અમદાવાદ. તા. ૨૪-૫-૨૦૨૪
ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય, દરિયાપુર મો.: 9824079848
બાબત : થરાદ હાઈવે પર બે પાડી લઈને જતા મિશ્રીખાન જુમેખાનની મોબલીચીંગ દ્વારા ઘાતકી હત્યા કરનાર આરોપીઓ ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી કરવા સહિત ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોઈ ન્યાયના હિતમાં તાત્કાલિક મોબલીચીંગની કલમનો ઉમેરો કરવામાં આવે
મહેરબાન સાહેબશ્રી,
આજ રોજ તા. ૨૪ મે ૨૦૨૪ને શુક્રવારના રોજ ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા અને પૂર્વ સીનીયર ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સાહેબને રૂબરૂ મળી બનાસકાંઠા ના ડીસા-થરાદ હાઈવે ખાતે થયેલ મોબલીચીંગની ઘટના પરત્વે રજૂઆત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ધરાદ હાઈવે પર બે પાડી લઈને જતા મિશ્રીખાન જુમેખાનની મોબલીચીંગ દ્વારા પાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી કરવા સહિત ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે માટે ન્યાયના હિતમાં તાત્કાલિક મોબલીચીંગની કલમનો ઉમેરો કરવામાં આવે.
મોબીંચીગ કરનાર અખેરાજસિંહ વાધેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પોતાને ગૌરક્ષક જણાવે છે. વધુમાં અખેરાજસિંહ વાધેલાની અગાઉ પણ મોબ લિંન્ચિંગના ગુનામાં સંડોવણી થયેલ હતી અને તેઓની હાલમાં જ પાસામાંથી છુટી બહાર આવેલ છે.
ઉપરોક્ત શખ્શોની વહેલી તકે ધરપકડ કરી સખમાં સપ્ત સજા કરી નશ્યત કરવા અને ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટનાને અંજામ ના આપે તે માટે કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી.
અમીરગઢ, બોર્ડર સહિત બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ હાઈવે સુધી ગૌરક્ષના નામે ગુંડાગીર્દી કરનારાઓનો ખૂબ જ ત્રાસ હોઈ ગુનેગારોને જબ્બે કરવા હાઈવે ઉપર પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવા અમારી માંગણી છે.
હિન્દુ સમાજની ધાર્મિક આસ્થા ગાય કે ગૌવંશ જેવા પવિત્ર પ્રાણીઓ સાથે જોડાયેલી છે અને તે સરકાર દ્વારા પણ પ્રતિબંધિત છે છતાં કોઈપણ વ્યક્તિ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો તેની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ તેનો અમો પણ સ્વીકાર કરીએ છીએ.
પશુપાલનનો વ્યવસાય મુખ્યત્વે માલધારીઓ હિન્દુ ભાઈઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ પશુ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો મુખ્યત્વે મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે.
કાયદા દ્વારા પ્રમાણિત તથા આરટીઓની પરમીટ ધરાવતા કાયદેસરના વાહનોમાં ભેંસ, પાડા, ઘેંટા કે બકરાની ધંધાકીય હેતુ માટે હેરફેર કરતા વેપારીઓ પાસેથી ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી કરતા તત્વો બળજબરીપૂર્વક હપ્તા ઉઘરાવે છે અને જો હપ્તા ના આપે તો ગેરકાયેદસર રીતે વાહનો પકડીને પોલીસને હવાલે કરતી આ ગેંગના ત્રાસમાંથી વેપારીઓને મુક્તિ અપાવવા કડક કાર્યવાહી કરવા અમારી માંગણી છે.
ઈમરાન ખેડાવાલા ધારાસભ્યશ્રી
ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્યશ્રી
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *આજરોજ અમદાવાદ ખાતે આદરણીય પોલીસ કમિશનર શ્રી ને મદ્રેસા ની સ્કેનિંગ બાબતે રૂબરૂ રજૂઆત કરવામાં આવી*. *મદ્રેસા સ્કેનિંગ ધાર્મિક ભાવના સાથે જોડાયેલ સંવેદનશીલ બાબત છે માટે કોઈપણ ગેરસમજ ઊભી ન થાય અને તંત્રની કાર્યવાહી સકારાત્મક સોહાદ પૂર્ણ માહોલ મા સંપન્ન થાય માટે સ્થાનિક આગેવાનો તથા મદ્રેસા સંચાલકોની આગોતરી જાણ દ્વારા પરસ્પર વિશ્વાસ સંપાદન કરી સ્કેનિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી ---------------- અમે નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે સ્કેનિંગની કાર્યવાહીમાં સરકારી તંત્ર પર વિશ્વાસ મૂકી સ્કેનિંગની કાર્યવાહીમાં સંપૂર્ણ સાથ સહકાર આપે -------- જો સ્કેનિંગની કાર્યવાહી અન્યાય કરતા પૂર્વગ્રહ યુક્ત જણાશે તો ન્યાય પાલિકા દ્વારા ન્યાય મેળવીશું ----- —-અમો ગર્વ સાથે કહીએ છીએ કે આપણી વિશ્વ ની સર્વશ્રેષ્ઠ ન્યાય પરણાલિ ભારતીય નાગરિકોને સંવિધાનિક અધિકારોના રક્ષણ કરવા માટે સક્ષમ અને કટિબદ્ધ છે --------પ્રતિનિધિ મંડળ માં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કોર્પોરેટર ઈમ્તિયાઝ શેખ સિનિયર આગેવાન રફીક નગરી મકબુલન્સારી વાહેદ પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા*
મારા સાથી મિત્ર ધારાસભ્યશ્રી Imran Khedawala ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના હુકમથી રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી (DEO)દ્વારા મદ્રેસા નું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.આ સંવેદનશિલ બાબત હોવાથી કોઈ પણ ગેરસમજ ઉભી ના થાય માટે સ્થાનિક આગેવાનો તથા મદ્રેસા સંચાલકોને આગોતરા જાણ કરી વિશ્વાસ સંપાદન કર્યા બાદ જ સ્કેનિંગ કરવામાં આવે. આજે તંત્ર ની સતર્કતાના આગોતરા આયોજનના અભાવે ગેરસમજથી થયેલ એક ઘટનાને બાદ કરતા
સમગ્ર ગુજરાતમાં સ્કેનિંગ શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયું છે.અમારી નાગરિકોને વિનંતી છે કે ગમે તે સંજેાગોમાં પણ કાયદો હાથમાં લેવુ એ નિંદનીય બાબત છે એક જવાબદાર નાગરિક તરીકે સંયમ જાળવી કાયદો હાથમાં લેવાથી અંતર રાખવો જોઈએ.
અમે પરિપત્રની નકલ અભ્યાસ અર્થે સિનિયર એડવોકેટશ્રી તાહિર હકિમ સાહેબને મોકલી આપેલ છે એડવોકેટ શ્રીના અભિપ્રાય અનુસાર પરિપત્રમાં ગૈર સંવેધાનિક બાબત જણાશે તો પરિપત્રની કાયદેસરતાને ત્વરિત નામદાર હાઇકોર્ટમાં પડકારવામાં આવશે
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳. *આજ રોજ ૧૬ જુન ના દિવસે નોર્થ મુંબઈ લોકસભા મત વિસ્તારના ચાંદિવલી વિધાન સભા મત વિસતાર માં લોકસભા ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા, માજી કેબિનેટ મંત્રી મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય વર્ષા ગાયેકવાડ (વર્ષા તાઈ)નાં પ્રચારમાં જમાલપુર ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ જોડાયા. જનતાનો પ્રચંડ સમર્થન અને ઉત્સાહ વર્ષા તાઈ અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરે છે. સવિશેષ પૂજ્ય મહાત્મા ગાંધીજીનાં પ્રપૌત્ર તુષાર ગાંધી પણ પ્રચારમાં જોડાયા*. ✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻
*આજરોજ નોર્થ મુંબઈ લોકસભાના મત વિસ્તાર ના ચૂંટણી પ્રચાર દરમિયાન cwc ના મેમ્બર જગદીશ ઠાકોર ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખ સુરેન્દ્રનગર લોકસભા ના ઉમેદવાર ઋત્વિક મકવાણા વિમલ ચુડાસમા ચૂંટણી પ્રચાર બાદ હળવાશની પળોમા*
નોર્થ મુંબઈ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા, માજી કેબિનેટ મંત્રી અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય વર્ષા ગાયેકવાડ (વર્ષા તાઈ)નાં પ્રચારમાં જમાલપુર ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી નૌશાદ સોલંકી જોડાયા. જનતાનો પ્રચંડ સમર્થન અને ઉત્સાહ વર્ષા તાઈ અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરે છે. સવિશેષ પૂજ્ય મહાત્મા ગાંધીજીનાં પ્રપૌત્ર તુષાર ગાંધી પણ પ્રચારમાં જોડાયા.
Varsha Gaikwad
Mukul Wasnik Ramkishan Ojha
Indian National Congress - Gujarat Indian National Congress - Maharashtra
*આજરોજ ગાંઘી હોલ સરખેજ ખાતે એજયુકેશન અને મેડીકલ ક્ષેત્રે અમૂલ્ય સમાજ સેવા આપતા કર્તવ્યશિલો ને એવોર્ડ આપી સન્માનિત કરવા નો ભવ્ય કાર્યક્રમ નું આયેાજન ઇસ્લામિક એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવા માં આવયુ હતુ તેમા ધારાસભ્ય ઈમરાન ખેડા વાલા પૂર્વ ધારાસભ્ય ગયાસુદીન શેખ સિનિયર નેતા યુનુસ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા*
ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા
મો.: ૯૩૨૭૪૨૬૦૧૭
ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય, દરિયાપુર મો.: ૯૮૨૪૦૭૯૮૪૮
અમદાવાદ
તા. ૮-૫-૨૦૨૪
ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા કોમી એકતાનું પ્રતિક છે. આપ સૌને વિનંતી છે કે પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી શાંતિ અને સદભાવના જાળવી રાખવા વિનંતી.
અમોએ ઉચ્ચ અધિકારીઓને ઇમેઇલ અને ટેલિફોનિક વાતચીત દ્વારા રજૂઆત કરેલ છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યના ડીજીપીશ્રીને રૂબરૂ મળી આવતીકાલે યોગ્ય રજૂઆત કરીશુ.
જય ભારત સાથ જણાવવાનું છે કે હાલ રાજ્ય માં લોકસભા ની ચૂંટણીને અનુલક્ષી આદર્શ આચારસંહિતા અમલી હોવાથી રાજ્ય નું સાશન આપના તાબા હેઠળ કામ કરી રહ્યું છે તેવા સમયે ગઈ કાલે રાત્રે હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે અવિશ્વાસ અને વૈમનસ્ય ફેલાય, અશાંતિ ઉભી થાય તેવી ગંભીર ઘટના સામે આવી છે. અમુક કટ્ટરવાદી તત્વો દ્વારા ગુનાહિત કૃત્યથી પીરાણા ખાતે આવેલ હઝરત ઈમામશાહ બાવા દરગાહ માં ઈમામશાહ બાવા, તેમના પુત્ર નૂરઅલી મુહમ્મદ અને પની ફાતિમા બીબી, સેવક હઝરત હાઝરબેગ બાવા સહીત ૧૪ પવિત્ર કબરો શહીદ કરી સમાધિ બનાવી દેવામાં આવી છે. સ્થળ ની રૂબરૂ મુલાકાત લેનારા તથા જે સોશ્યિલ મીડિયા માં વાયરલ થયેલ વિડિઓ અને ફોટોમાં સ્પષ્ટ જણાઈ આવે છે.
ગુજરાત રાજ્યમાં આપ સાહેબ ના તાબા હેઠળ શાસન RULE OF LAW દ્વારા નિષ્પક્ષ રીતે ચાલી રહ્યું છે તેવી પ્રતીતિ કરાવશો તેવો અમોને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે. આપ સાહેબને પીરાણા સહીત સમગ્ર મુસ્લિમ સમાજ ની વિનંતી છે કે આપ તાત્કાલિક કલેકટર શ્રી તથા પોલીસ વિભાગ ને આદેશ આપશો કે જે શહીદ કરાયેલ ૧૪ પવિત્ર કબરોને મૂળ સ્થળ પર તાત્કાલિક યુદ્ધ ના ધોરણે પુનઃ સ્થાપિત કરી પ્રસાશન પ્રત્યેનો વિશ્વાસ સંપાદન કરી રાજ્યની શાંતિ, સલામતી અને ભાઈચારો જરુરથી આપ સાહેબશ્રી લક્ષ માં લેશો એવી અમારી નમ્ર વિનંતી.
કોમી એકતાના પ્રતીક સમી ઐતિહાસિક હઝરત ઈમામ શાહ બાવા ની પીરાણા ખાતે દરગાહ આવેલી છે ત્યાં બંને હિન્દૂ અને મુસ્લિમ સમાજ આસ્થા સાથેથી દર્શન અને ધાર્મિક વિધિ માટે આવે છે
પીરાણા દરગાહ ટ્રસ માં સૈયદ મુસ્લિમ સમાજ અને સતપંથી હિન્દુ સમાજ સંયુક્ત રીતે પીરાણા દરગાહ ટ્રસ્ટ નું સંચાલન કરે છે. ટ્રસ્ટીઓ વચ્ચે હઝરત ઈમામ શાહ બાવાની દરગાહને મૂળ સ્થિતિમાં રાખવા અને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની ભાવાના અને આસ્થાનો આદર કરી વહીવટ કરવા બાબતે ઘણા વર્ષોથી ઈમામ શાહ બાવાની દરગાહ નો વિવાદ ચાલી રહ્યો છે અને બંને સમાજના ટ્રસ્ટી ઓ વચ્ચે નો વિવાદ હાલ નામદાર હાઈકોર્ટ સમક્ષ પેન્ડીંગ છે.
૧૪ જેટલી કબરોને શહીદ કરવા ની નિંદનીય ઘટના બાબતે પીરાણા સહીત સમગ્ર મુસ્લિમ સમાજ ની લાગણી દુભાઈ છે. અમારી માંગણી છે કે હિન્દૂ અને મુસ્લિમ સમાજ ની વચ્ચે વેમનિષ્ય ઉભું કરવા અને અશાંતિ ફેલાય તેવું બિન જવાબદાર ગુનાહિત કૃત્ય આચરનારા ગુનેગારો ની સામે ગુનાહ ની ગંભીરતા જોતા ગુનેગારો સામે FIR દાખલ કરી યોગ્ય નિષ્પક્ષ સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ઈમરાન ખેડાવાલા ધારાસભ્યશ્રી
ગ્યાસુદીન પૂર્વ ધારાસભ્ય શ્રી
मेने अपना वोट दे दिया क्या आपने दिया?
તારીખ 4–5–2024 ના રોજ સુરેન્દ્રનગર ખાતે સૂફી યુસુફનાવા ની તેમના ખાના ખાતે મુલાકાત કરતા પૂર્વે ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શૈખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા.....
✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻. *બનાસકાંઠા પાટણ ના મતવિસ્તારો છાપી વડગામ ડીસા રાધનપુર પાલનપુર પાટણ તમામ સમાજના આગેવાનોની એક ગુજરાત ની સૌથી સફળ જંગી મીટીંગ હબીબ કાકા સાહેબ દ્વારા રાખવામાં આવી હતી ગુજરાતની સૌથી અત્યંત સફળ મીટીંગ નું સંચાલન હબીબ કાકા ડો ઇમરાન યાસીન ખોકર સહિતના આગેવાનોએ કરી હતી અને વડગામના સનિયર અનુભવી આગેવાન રસુલ ચાચા પણ હાજરી આપી શેાભા વઘારી હતી.આજરોજ ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલા અને સ્ટાર પ્રચારક પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ રૂબરૂ હબીબ કાકાને છાપી ખાતે રૂબરૂ મુલાકાત કરી અને અન્ય મિટીગેા મા મેાડુ થતા વડગામ ની મિટિંગમાં હાજરી ના આવી શકયા બદલ તેમની માંફી માંગી હતી અને પક્ષ ને જીતાડવા માટેના પ્રયત્નો કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. વડગામના સૌથી સિનિયર આગેવાન રસુલ કાકા ની ઓફિસ ખાતે સન્માન્ય ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને સ્ટાર પ્રચારક પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત હબીબ કાકા સાહેબ ની સાાથે રસુલ કાકા ની શુભેચ્છા મુલાકાત કરી ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ઈમરાન ખેડવાલા અને ગ્યાસુદ્દીન શેખ એ હબીબ કાકા અને રસુલ કાકા નું સાલ ઓઢાડીને ફુલહાર કરીને સન્માન કર્યું હતું. હબીબ કાકા અને રસુલ કાકા એ બન્ને ને પાટણ અને બનાસકાઠાં બેઠક સમાજ ના જવાબદાર આગેવાનેા ના સાથ સહકાર થી જીતાડવા કટિબદ્ધ પ્રયત્નશીલ હોવા ની વાત કરી હતી ત્યારબાદ બંને ધારાસભ્યએ સિદ્ધપુર ખાતે આગેવાનોની મીટીંગ ને સંબોધી હતી બહુ ખૂબ સારુ વાતાવરણ સમગ્ર પાટણ અને બનાસકાંઠા બેઠક પર છે અને બંને બેઠક કોંગ્રેસ પક્ષ જીતવા જઈ રહી છે. 🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻
✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻 *સમગ્ર ગુજરાતના સફળતાપૂર્વક ચૂંટણી પ્રચાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ શ્રી Shaktisinh Gohil સાહેબ યુવા આગેવાન ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા સ્ટાર પ્રચારક પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ એરપોર્ટ ખાતે બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે*. ✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻✋🏻
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Address
Ahmedabad
Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).
Ahmedabad
BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel
Ahmedabad
Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.
Bapunagar
Ahmedabad, 380024
M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.
Ahmedabad, 380007
BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f