Nrg Centre Surat
A dedicated help centre for N.R.G. Managed by The Southern Gujarat Chamber of Commerce & Industry-Su
To establish effective communication with NRG in India and various parts of the world to prepare a comprehensive data-base of NRG. To study social and cultural issue of NRG from time to time and take steps to formulate schemes for meeting their requirement. To take effective steps to survey and assess the technical and professional skills of NRG and to utilize the same into development effort of S
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી– સુરત ખાતે ગત તા. ર૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજથી NRI લીગલ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે ગત તા. ર૩ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ બેઠક મળી હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સની NRG કમિટીના ચેરમેન શ્રી કલ્પેશ લાઠીયા, સુપ્રિમ કોર્ટના વકીલ સુશ્રી પ્રીતિબેન જોષી, એડવોકેટ સુશ્રી સંગિતાબેન ખુંટ, એડવોકેટ સુશ્રી દિપીકાબેન ચાવડા અને એનઆરજી કમિટીના સભ્ય શ્રી અર્પિત ઠકકર ઉપસ્થિત રહયા હતા.
NRI લીગલ હેલ્પ ડેસ્કને NRI - NRGના વીઝા સંબંધિત નવ જેટલા જુદા–જુદા પ્રશ્નો મળ્યા છે, જે સંદર્ભે ઉપરોકત બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ હેલ્પ ડેસ્ક દ્વારા આ પ્રશ્નો, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવામાં આવશે, આથી સરકાર દ્વારા પ્રાથમિકતાના ધોરણે NRI - NRGના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. NRI લીગલ હેલ્પ ડેસ્ક માટે હાલ ચેમ્બર ઓફ કોમર્સના ફોન નંબર ૦ર૬૧ – રર૯૧૧૧૧નો સંપર્ક કરી શકાશે.
The Southern Gujarat Chamber of Commerce & Industry, in collaboration with the NRG Centre, Surat, is delighted to introduce the NRI Legal Help Desk - A Platform to provide expert guidance and support on Marriage, Visa & NRI Related Issues.
Join us for our very first legal advice help desk session. We are here to provide expert guidance and support on all matters related to Marriage, Visa and NRI Concerns.
Saturday, 23rd September, 2023
Time: 3:00 PM to 5:00 PM
Venue: NRG Centre Surat Office, 6th Floor, Sanhati Building, SIECC Campus, Sarsana, Surat.
Whether you have questions, require assistance, or seek clarity on any legal matters, our dedicated team of professionals is here to assist you on the Last Saturday of every month at NRG Centre, Surat.
Your legal peace of mind is our priority. Mark your calendar and be sure to attend. We look forward to helping you navigate through legal challenges effectively. Kindly Register on: https://bit.ly/3PID4FE
For inquiries or further information, please contact +91 82005 49493
મૂળ ગુજરાતના વતની અને દુબઈ સ્થાયી થયેલ તથા ડાયમંડ ઉદ્યોગમાં વર્ષોનો અનુભવ ધરાવતા કમલ જેમ્સ LLCના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ભરતભાઈ નારોલાએ બુધવાર, તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ SGCCI NRG સેન્ટર, સુરતની મુલાકાત લીધી હતી અને NRIને લગતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગેની વિશેષ જાણકારી પ્રાપ્ત કરી હતી. તેઓ NRGની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે શ્રી ભરતભાઈ નારોલાએ NRG સેન્ટરને આગામી સુખદ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ચેમ્બર ઓફ કોમર્સ– સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૬ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે સુપ્રિમ કોર્ટના વકિલ સુશ્રી પ્રિતિબેન જોશીએ વિદેશ પરણવાની ઇચ્છા ધરાવનાર યુવતિઓને મહત્વની તકેદારીઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગરના મામલતદાર સુશ્રી રિદ્ધિબેન પરમારે પ્રતિષ્ઠાન વિષે માહિતી આપી બિન નિવાસી ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કરાતા વિવિધ પ્રયાસો વિષે જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એનઆરજી કમિટીના ચેરમેન શ્રી કલ્પેશ લાઠીયાએ વકતાનો પરિચય આપ્યો હતો. SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી ગણેશ પમનાનીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
INVITATION:
Under the 75🇮🇳 आज़ादी का अमृत महोत्सव
Gujarat State Non-Resident Gujarati’s Foundation, SGCCI & NRG Centre, Surat Jointly organize
NRI Marriage Awareness Seminar
📣Speaker:
Smt. Pritiben Joshi
Advocate
Supreme Court of India
🗓️ Wednesday, 6th September, 2023
🕝Time: 12:00 Noon
📍Venue: Vanita Vishram Women's University, Athwa Gate, Surat.
Supported by: Vanita Vishram Women's University, Surat.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકથી સંહતિ, સરસાણા, સુરત ખાતે NRI લીગલ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. SGCCIના માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મરના હસ્તે NRI લીગલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હેલ્પ ડેસ્કના શુભારંભની સાથે બેઠક મળી હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સની NRG કમિટીના ચેરમેન શ્રી કલ્પેશ લાઠીયા, સુપ્રિમ કોર્ટના વકીલ સુશ્રી પ્રીતિ જોષી, એડવોકેટ સુશ્રી સંગિતા ખૂંટ, શ્રી સુરેશ ગજેરા અને શ્રી પ્રકાશ હાથી સહિત NRG કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
SGCCI સુરત ખાતે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત NRG સેન્ટર અગાઉથી કાર્યરત છે. આ NRG સેન્ટર ખાતે દર મહિનાના ચોથા શનિવારે બપોરે ૩:૦૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન NRI લીગલ હેલ્પ ડેસ્કની કામગીરી ચાલશે. એડવોકેટ સુશ્રી પ્રીતિ જોષીની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ કાર્ય કરશે, જેમાં લીગલ એક્ષ્પર્ટ હાજર રહેશે. NRI અને NRGના મેરેજ, વીઝા સંબંધિત પ્રશ્નો તથા અન્ય જુદી–જુદી બાબતો વિષે તેઓને સાંભળવામાં આવશે અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. NRI લીગલ હેલ્પ ડેસ્ક માટે હાલ ચેમ્બર ઓફ કોમર્સના ફોન નંબર ૦ર૬૧ – રર૯૧૧૧૧નો સંપર્ક કરી શકાશે.
The Southern Gujarat Chamber of Commerce & Industry, in collaboration with the NRG Center, Surat, cordially requests your esteemed presence at the Inauguration Ceremony of the NRI Legal Help Desk - A Platform to solve Marriage, Visa, & NRI Related Issues
Date: Saturday, August 26, 2023
Time: 3:00 PM
Location: NRG Center Surat Office, 6th Floor, Sanhati Building, SIECC Premises, Sarsana, Surat.
Please take a moment to confirm your attendance by visiting the link below: https://bit.ly/3Ea2FRa
Your participation will greatly enhance the success of this event. We look forward to welcoming you with open arms.
સુરતના રહેવાસી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૦૧-૨૦૦૨ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રફુલ્લ બી. શાહના પુત્ર શ્રી ચિરાગ શાહ કે જેઓ હાલ યુ.એસ.એ સ્થાયી થયેલ છે. તેઓએ સોમવાર, તા. ૧૦ જુલાઈ, ૨૦૨૩ ના રોજ SGCCI NRG સુરત સેન્ટરની મુલાકાત લીધી હતી તેમજ NRIને લગતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગેની વિશેષ જાણકારી પ્રાપ્ત કરી હતી. તેઓ NRGની કામગીરીથી પ્રભાવિત થયા હતા તેમજ શ્રી ચિરાગ શાહે સુખદ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિન - ૨૦૨૩ની ઉજવણીમાં જોડાવા હાર્દિક અપીલ....
આગામી તા. ૨૧ જૂન ૨૦૨૩ના રોજ આયોજિત ઓનલાઈન યોગ કાર્યક્રમમાં જોડાવા આપેલ લીંક http://desk.voiceey.com/idoy/ માં આપનું નામ નોંધાવી, સંસ્થાના નામમાં NRG ઉપર ક્લિક કરી આપની સહભાગિતા નોંધાવો. ઉપરાંત, આપના તમામ સંપર્કોમાં પણ આ ઓનલાઈન યોગમાં જોડાવા અપીલ કરવા ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન દ્વારા આપશ્રીને નમ્ર અનુરોધ છે.
ભારતને સ્વતંત્ર થવાને ૭પ વર્ષ પૂર્ણ થયા હોવાથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે તેમજ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી સોમવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ બપોરે ૧:૦૦ કલાકે બારડોલી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ‘એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના પ્રતિનિધિઓ રમેશ રાવલ અને પ્રગ્નેશ લવીંગ્યા હાજર રહયાં હતાં. વકતા તરીકે સુપ્રિમ કોર્ટના વકીલ પ્રિતિ જોશીએ બિન નિવાસી ભારતીયો સાથે લગ્ન માટે રાખવાની તકેદારીઓ અને ઉપાયો વિષે વિસ્તૃત સમજણ આપી વિદ્યાર્થીનિઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બર સ્થિત એનઆરજી સેન્ટર સુરતના ચેરમેન કલ્પેશ લાઠીયાએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર તેમજ મેનેજમેન્ટ વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. અનુરાધા પાઠકે યુનિવિર્સિટી વિષે માહિતી આપી હતી. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના પ્રિન્સીપાલ એન્ડ ડીન ડો. રાની શેટ્ટી સેમિનારમાં ઉપસ્થિત રહયાં હતાં. જ્યારે માઇક્રો બાયોલોજી વિભાગના એસોસીએટ પ્રોફેસર સુપ્રિયા રત્ના નાગરે પ્રાસંગિક વિધી કરી હતી. વકીલ પ્રિતિ જોશીએ વિદ્યાર્થીનિઓના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતાં અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
INVITATION:
Under the 75🇮🇳 आज़ादी का अमृत महोत्सव
Gujarat State Non-Resident Gujarati’s Foundation, SGCCI & NRG Centre, Surat
Jointly organize
NRI Marriage Awareness Seminar
📣Speaker:
Smt. Pritiben Joshi
Advocate
Supreme Court of India
Monday, 20ty February, 2023
🕝Time: 1:00 PM
📍Venue: Venue: Manjula Hall, UKA Tarsadia University, Bardoli.
Supported by: Uka Tarsadia University
⚠️Presence only by INVITATION
તા. ૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ગાંધીનગર ખાતે બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથેની શુભેચ્છા મુલાકાતમાં ચેમ્બર ઓફ કોમર્સની એન.આર.જી. કમિટીના ચેરમેન શ્રી કલ્પેશભાઈ લાઠીયા અને કો-ચેરમેન શ્રી નિલેશભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.
ભારતને સ્વતંત્ર થવાને ૭પ વર્ષ પૂર્ણ થયા હોવાથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એનઆરજી સેન્ટર, સુરતના સંયુકત ઉપક્રમે તેમજ શ્રી તાપી બ્રહમચર્યાશ્રમ સભા, સુરતના સહકારથી બુધવાર, તા. ૬ જુલાઇ, ર૦રર ના રોજ બપોરે રઃ૩૦ કલાકે વરાછા રોડ સ્થિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સેમિનાર હોલ ખાતે ‘એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની સુપ્રીમ કોર્ટના વકીલ પ્રિતીબેન જોશી દ્વારા વિદેશમાં પરણવાની ઈચ્છા ધરાવનાર યુવતિઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના મામલતદાર ઉત્સવ ભટ્ટે ગુજરાત પરિભ્રમણ યોજના અંગે માહિતી આપી હતી.
ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું અને વકતાનો પરિચય પણ આપ્યો હતો. ચેમ્બરની એનઆરજી કમિટીના કો–ચેરમેન નિલેશ ગજેરાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરની એનઆરજી કમિટીના ચેરમેન કલ્પેશ લાઠીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.
Under the 75🇮🇳 आज़ादी का अमृत महोत्सव
Gujarat State Non-Resident Gujarati’s Foundation, SGCCI & NRG Centre, Surat
Jointly organize
NRI Marriage Awareness Seminar
📣Speaker:
Smt. Pritiben Joshi,
Advocate,
Supreme Court of India
🗓️Wednesday, 6th July, 2022
🕝Time: 02:30 PM
📍Venue: Seminar Hall, Shree Swami Atmanand Saraswati Institute of Technology (SSASIT), Shree Swami Atmanand Saraswati Vidyasankul, Kapodra, Varachha Road, Surat 395006.
Supported By: Shree Tapi Bramcharyashram Sabha, Surat
⚠️Presence only by INVITATION
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
6th Floor Sanhati Building, SIECC Campus, Nr. Khajod, Crossing, Sarsana
Surat
395007
Opening Hours
Monday | 10am - 7pm |
Tuesday | 10am - 7pm |
Wednesday | 11am - 7pm |
Thursday | 11am - 7pm |
Friday | 11am - 7pm |
Saturday | 11am - 7pm |
103, Maria Manzil, Shree Sai Jalaram Nagar Udhna
Surat, 394210
GST Services, Accounting Services, E Way bill, Company Registration, ITR, Loan, Education, Passport, ISO & OS HAS, CA services, Mudra Loan, Medical Card.
105, Anupam The Business Hub, Near Yogi Chowk
Surat, 395010
aadhar voting ration passport pan card aayushman card All Government Document Work
Surat
Surat, 395010
Information of various schemes of the Indian Government. My silence doesn’t mean that I quit… It simply means that I don’t want to argue with people who just don’t want to underst...
Surat, 395003
Secretary of Gujarat State, Human Rights Council of India Trainer of Haj Gujarat State Govt of Gujar
108 Mahalaxmi Square, Nr. L. P. Savani School, Honey Park Road, Adajan
Surat, 395009
Learn driving, RTO consultant & Insurance consultant.